SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ બોલ્યો-“શું તમારે પણ બીજા ગુરુ છે? ચાલો, તમારી સાથે હું તેમની પાસે આવું.” ગણઘર બોલ્યા–“યથાસુખ દેવાનુપ્રિય (હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો). પછી તે અતિમુક્ત કુમાર ભગવંતની પાસે આવ્યો. ભગવંતને નમસ્કાર કરી, ઘર્મ સાંભળી પાછો ઘેર આવી માતાપિતાને કહેવા લાગ્યો-“હે માતાપિતા! હું આ સંસારથી નિર્વેદ (ખેદ) પામ્યો છું, માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપો.” માતાપિતા બોલ્યા-“વત્સ! તું બાળક છે, દીક્ષા કેવી હોય તે તું શું જાણે?” કુમાર બોલ્યો-“માતાપિતા! જે હું જાણું છું તે નથી જાણતો, જે નથી જાણતો તે જાણું છું.” માતાપિતાએ કહ્યું- તે કેવી રીતે?” કુમાર બોલ્યો-જે હું જાણું છું તે એ કે “જે જન્મ્યો તે અવશ્ય કરવાનો પણ હું નથી જાણતો કે તે ક્યાં અને કેવી રીતે મરશે?” તેમ જ હું નથી જાણતો કે “કેવા કર્મથી જીવ નરકાદિકમાં ઉત્પન્ન થાય છે?” પણ હું જાણું છું કે “જીવ પોતાનાં કરેલાં કર્મ વડે જ જુદી જુદી ગતિને પામે છે. આ પ્રમાણે અનેક યુક્તિથી કુમારે માતાપિતાને સમજાવ્યા. પછી માતાપિતાએ કરેલા મહોત્સવ વડે અતિમુક્તકુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને શિક્ષણ આપવા માટે સ્થવિરોને સોંપ્યો. એક વખતે અતિમુક્ત મુનિ સ્થવિર સાથે ચંડિલ ગયા હતા. માર્ગમાં પ્રથમ મેઘવૃષ્ટિ થવાથી બાળકો ખાડામાં ભરાયેલા જળ ઉપર ખાખરાનાં પાંદડાંનાં નાવડાં કરી તરાવતાં હતાં અને મારી નાવ તરે છે' એમ બોલતાં હતાં. તે જોઈ અતિમુક્ત મુનિએ પણ પોતાનું પાત્ર પાણીમાં મૂકી તરાવતા સતા કહ્યું કે “જુઓ, આ મારી નાવ પણ તરે છે.” તે જોઈ સ્થવિરે તેને તેમ કરતાં વાર્યા. પછી કેટલાક સાધુઓએ શ્રી વીરપ્રભુને કહ્યું કે “ભગવન્! આ છ વર્ષનો બાળક જીવરક્ષા કરવાનું શી રીતે જાણી શકે? હમણા તો તે ષકાય જીવનું ઉપમર્દન કરે છે.” શ્રી વિરપ્રભુ બોલ્યા–“હે મુનિઓ! તમે તે બાળકની હીલના કરશો નહીં, તેને સમજાવીને ભણાવો, તે તમારા પહેલાં કેવળી થશે.” આ પ્રમાણે સાંભળીને સર્વ મુનિઓએ તે બાળસાધુને સમજાવ્યા. પઠન કરતા એવા તે બાળમુનિ થોડા સમયમાં એકાદશાંગી ભણી ગયા. એક વખતે માર્ગમાં પૂર્વની જેમ બાળકોને નાવની ક્રિીડા કરતાં જોઈ પોતાની પૂર્વે કરેલી ક્રીડાને નિંદતા થકા સમવસરણમાં આવ્યા. ત્યાં ઈર્યાપથિકી પડિક્કમતાં–તેના અર્થની ભાવના કરતાં ‘દગમટ્ટી' એ પદ વડે પોતે કરેલ સચિત્ત પાણી અને વૃત્તિકાની વિરાધનાને સંભારી સંભારી ગર્તા કરવા લાગ્યા. તે વખતે શુક્લધ્યાનના વશપણાથી તત્કાળ ઘાતકર્મને ખપાવી કેવળી થયા. દેવતાઓ તેમનો મહોત્સવ કરવા આવ્યા. તે સમયે શ્રી વીરપ્રભુએ કહ્યું–“અહો વિરો! જુઓ, આ નવ વર્ષનો બાળક કેવળી થયો.” પછી સર્વેએ મળી તેમને વંદના કરી. શ્રી અંતગડસૂત્રમાં અને ભગવતીજીમાં જેનું વર્ણન કરેલ છે તે આ મુનિ સંભળાય છે અને અનુત્તરોપપાતિકસૂત્રમાં જે અતિમુક્તમુનિ કહેલ છે તે યાદવ ચરિત્રમાં વર્ણવેલ છે તે અતિમુક્ત હશે એમ લાગે છે. “અતિમુક્ત મુનિએ છ વર્ષની વયે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી અને નવ વર્ષની વય થતાં ઈર્યાપથિકનો અર્થ વિચારતાં તેમને કેવળજ્ઞાન થયું, તેમ જ સિદ્ધિસુખને પામ્યા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy