SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યો. અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સોળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યોએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચારો કર્યા, પણ તે બઘા નિષ્ફળ ગયા. છેવટે તે નંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યો અને તે નંદવામિકામાં જ ગર્ભજ દેડકો થયો. તેમાં ક્રીડા કરતાં તે દર્દીને ઘણા લોકોનાં મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો-“અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતોની વિરાધના કરી. હવે તે વ્રત પાછાં આ ભવમાં સ્વીકારું.” આવો વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધો કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું અને પાણી પણ નંદાપુષ્કરણીમાં નાહવાથી ઘણા લોકોના પસીન વગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું.” આ પ્રમાણે વર્તવાનો તેણે નિશ્ચય કર્યો, તેવામાં લોકોનાં મુખથી શ્રી વિરપ્રભુનું આગમન સાંભળી પોતે વંદના કરવા માટે ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજાના અશ્વના ડાબા પગ નીચે દબાયો; તેથી તરત જ એકાંતે જઈ નમુસ્કુર્ણ ઇત્યાદિ સ્તુતિ વડે ઘર્માચાર્યને નમી, સર્વ પાપને આલોવી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામે દેવતા થયો, તે દેવ અહીં આવ્યો હતો. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ભવનો ક્ષય કરીને મોક્ષે જશે.” પૂર્વે આ ગ્રંથમાં દાંક દેવનું જે વૃત્તાંત લખેલું છે તે ચરિત્ર ગ્રંથને અનુસારે જાણવું. “નંદમણિકાર શ્રેષ્ઠી વ્રતભંગ વડે દેડકાનો અવતાર પામી તેમાં જાતિસ્મરણ પ્રાપ્ત કરી, પૂર્વપાપની આલોચના કરીને દરાંક નામે દેવતા થયો.” વ્યાખ્યાન ૧૬૦. પૌષધવ્રત કરનારની સ્તુતિ धर्मपौषधमाराध्य, सम्यक् सागरचंद्रमाः । समाधिना विपन्नोऽभूत्, त्रिदिवे त्रिदिवोत्तमः॥१॥ ભાવાર્થ-“સાગરચંદ્ર સમ્યક પ્રકારે પૌષઘવ્રતની આરાધના કરી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગમાં ઉત્તમ દેવતા થયા હતા.” સાગરચંદ્રની કથા દ્વારાવતીમાં બળદેવના પુત્ર નિષદને સાગરચંદ્ર નામે પુત્ર થયો હતો. તે નગરમાં રહેનારા ઘનસેન રાજાની કમલામેલા નામે પુત્રી ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી હતી. એક વખતે નારદ નભસેનને ઘેર જઈ ચડ્યા. તે વખતે નભસેનનું ચિત્ત વિવાહકાર્યમાં વ્યગ્ર હતું, તેથી તેણે નારદનું સન્માનાદિ કાંઈ કર્યું નહીં; આથી નારદને ક્રોઘ થયો. એટલે ત્યાંથી સાગરચંદ્ર પાસે આવીને કહ્યું કે ઘનસેનની પુત્રી કમલામેલાના જેવું સ્વરૂપ ત્રિભુવનમાં કોઈ કન્યાનું નથી.” તે સાંભળી સાગરચંદ્ર બોલ્યો– તે કન્યા કોઈને અપાઈ ચૂકી છે?” નારદે કહ્યું-“અપાઈ ચૂકી છે, પણ હજુ સુધી પરણાવી નથી.” તે સાંભળી તે દિવસથી સાગરચંદ્ર કમલામેલાનું નામ જ જપવા લાગ્યો. ત્યાંથી નારદઋષિ કમલાની પાસે આવ્યા. કમલાએ પૂછ્યું–કાંઈ પણ આશ્ચર્ય જોવામાં આવ્યું હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy