SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૮] ઇર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક પૌષધ થાય છે. પાંચ પ્રકારના સ્થાવર જીવના પર્યાયા, અપર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર એમ ચાર ભેદ વડે વિશ પ્રકાર થાય છે. પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાપ્ત ને અપર્યાપ્ત એમ બે ભેદ છે. વિલેંદ્રિય તે બેઇંદ્રિય, તેઇદ્રિય ને ચૌરેંદ્રિય જીવના પર્યાય અને અપર્યાપ્તા એમ બે બે ભેદ હોવાથી છ ભેદ થાય છે. જલચર, સ્થલચર, ખેચર, ઉરઃ૫રિસર્પ અને ભુજપરિસર્પ–એ પાંચ પ્રકારના તિર્યંચ પંચંદ્રિયના સંજ્ઞી ને અસંજ્ઞી તથા પર્યાપ્ત ને અપર્યાપ્તા એમ ચાર ચાર ભેદ હોવાથી વીશ ભેદ થાય છે. એકંદર સ્થાવરથી માંડીને અડતાળીશ ભેદ તિર્યંચના થાય છે. પંદર કર્મભૂમિના અને ત્રીશ અકર્મભૂમિના તથા છપ્પન અંતરદ્વીપના, એવી રીતે બધા મળીને એકસો ને એક ભેદ મનુષ્યના થાય છે. તેમાં ગર્ભજના પર્યાય અને અપર્યાપ્તા એવા બે ભેદ હોવાથી બસો ને બે ભેદ થાય છે. તેમાં ૧૦૧ ક્ષેત્રમાં સંમૂર્ણિમ અપર્યાયાના એકસો ને એક ભેદ મેળવવાથી મનુષ્યના ત્રણસો ને ત્રણ ભેદ થાય છે. ભુવનપતિના દશ, વ્યંતર ને વાણવ્યંતરના સોળ, ચર અને સ્થિર ભેદે જ્યોતિષીના દશ, વૈમાનિકના બાર, રૈવેયકના નવ, અનુત્તરના પાંચ, લોકાંતિકના નવ, કિલ્વેિષીકના ત્રણ, પાંચ ભરત અને પાંચ એરવતના મળી દશ, વૈતાઢ્ય પર રહેનારા તિર્યકર્જુભકના દશ અને પરમાઘાર્મિકના પંદર, એમ કુલ મળીને દેવતાના નવાણું ભેદ છે; તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદ ગણતાં એકસો ને અઠ્ઠાણું ભેદ થાય છે. એકંદરે ચારે ગતિના ગણતાં બઘા મળીને પાંચસો ને ત્રેસઠ ભેદ થાય છે. (૧૪+૪૮+૩૦૩+૧૯૮૫૬૩) પ૬૩ જીવભેદને અભિહયા વગેરે દશ પદ વડે ગુણતાં પ૬૩૦, તેને રાગદ્વેષે ગુણતાં ૧૧૨૬૦, તેને ત્રણ યોગ વડે ગુણતાં ૩૩૭૮૦, તેને ત્રણ કરણ વડે ગુણતાં ૧૦૧૩૪૦, તેને ત્રણ કાળ આશ્રયી ગુણતાં ૩૦૪૦૨૦ ભેદ થાય છે. તેમને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્માની સાક્ષીએ ગુણતાં અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો ને વિશ થાય છે. તે વિષે કહ્યું છે કે “અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો ને વીસ એટલું ઇર્ષાવહીના મિચ્છા મિ દુક્કડનું પ્રમાણ સૂત્રમાં કહ્યું છે.” - ઈર્યાપથિકી પડિક્કમતાં ત્રણ વાર પગ મૂકવાની ભૂમિ પ્રમાર્જીને સમ્યક પ્રકારના મન વડે અતિમુક્ત મુનિની જેમ ઇર્યાવહી પડિક્કમવી. તે અતિમુક્ત મુનિની કથા આ પ્રમાણે અતિમુક્ત મુનિની કથા પોલાસપુર નામના નગરમાં વિજય રાજા અને શ્રીદેવી રાણીને અતિમુક્ત નામે પુત્ર હતો. તે છ વર્ષનો થયો તેવામાં એક વખતે શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે ગોચરીએ જતા હતા. તેમને જોઈને તે પુત્રે પૂછ્યું- તમે કોણ છો? અને કેમ ફરો છો?' ગૌતમ ગણઘરે કહ્યું-“વત્સ! અમે સાધુ છીએ અને ભિક્ષા માટે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું- 'ભગવન્! ચાલો પઘારો, હું તમને ભિક્ષા અપાવું. આ પ્રમાણે કહી ભગવંતને આંગળીએ પકડી રાજકુમાર પોતાને ઘેર તેડી લાવ્યો. મુનિને આવેલા જોઈ શ્રીદેવી રાણી બહુ ખુશી થયા અને તેમને પ્રતિલાભિત કર્યા. બાળ છતાં બુદ્ધિથી અબાળ એવા તે કુમારે ફરીથી ગૌતમસ્વામીને પૂછ્યું-“ભગવન્! આપ ક્યાં રહો છો?” ગણઘર બોલ્યા- ભદ્ર! અમે શ્રી વીરપરમાત્મા જે અમારા ગુરુ છે તેમની પાસે રહીએ છીએ.” કુમાર ( ૧ સંમૂર્ણિમ મનુષ્ય પંચેંદ્રિય અપર્યાપણામાં જ મરણ પામે છે, તેથી તેનો એક જ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy