SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ તર્કરહસ્યદીપિકા કારણે વેગવાળા પદાર્થનો વેગ રોકાઈને નાશ પામે છે. શરીર આદિના પ્રયત્નથી ઉત્પન્ન થતી ક્રિયાથી બાણમાં ક્રિયા અને વેગ ઉત્પન્ન થાય છે. વેગના કારણે બાણ વચમાં પડી ગયા વિના સીધું લક્ષ્ય પહોંચી જાય છે. આ રીતે બાણ આદિની નિયત દિશામાં ક્રિયા હોવી એ જ વેગની સત્તાને સિદ્ધ કરે છે.પથ્થર આદિના ફટકાથી વૃક્ષની ડાળીમાં ક્રિયા ઉત્પન્ન થાય છે અને ક્રિયા ડાળીમાં વેગ ઉત્પન્ન કરે છે. 34. केचित्तु संस्कारस्य त्रिविधस्य भेदतया वेगं प्राहुः । तन्मते चतुविशतिरेव गुणाः । शौर्यौदार्यकारुण्यदाक्षिण्यौन्नत्यादीनां च गुणानामेष्वेव प्रयत्नबुद्ध्यादिषु गुणेष्वन्तर्भावान्नाधिक्यम् । 34. કેટલાક વૈશેષિક આચાર્યો સંસ્કારના ત્રણ ભેદો કરી તેમાં વેગને એક ભેદ તરીકે ગણાવે છે, વેગને સ્વતન્ત્ર ગુણ નથી માનતા. તેથી તેમના મતે ચોવીસ જ ગુણો છે. શૂરતા, ઉદારતા, કરુણા,કુશલતા, ઉન્નતિ આદિનો સમાવેશ બુદ્ધિ આદિ ગુણોમાં જ થઈ જાય છે. એટલે ચોવીસથી અધિક ગુણો નથી. 35. स्पर्शादीनां गुणानां सर्वेषां गुणत्वाभिसंबन्धो द्रव्याश्रितत्वं निष्क्रियत्वमगुणत्वं च तथा स्पर्शरसगन्धरूपपरत्वापरत्वगुरुत्वद्रवत्वस्नेहवेगा मूर्तगुणाः । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाद्वेषशब्दा अमूर्तगुणाः । संख्यापरिमाणपृथक्त्वसंयोगविभागा उभयगुणा इत्यादि गुणविषयं विशेषस्वरूपं स्वयं समवसेयम् ॥६३॥ 35. સ્પર્શ આદિ બધા ગુણોમાં સમવાયસંબંધથી ગુણત્વ રહે છે. બધા ગુણો દ્રવ્યાશ્રિત છે, નિષ્ક્રિય છે અને નિર્ગુણ છે. સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ અને વેગ આ મૂર્ત દ્રવ્યોના ગુણો છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના, દ્વેષ અને શબ્દ આ અમૂર્ત દ્રવ્યોના ગુણો છે. અને સંખ્યા, પરિમાણ,પૃથ, સંયોગ અને વિભાગ આ મૂર્ત અને અમૂર્ત બન્ને દ્રવ્યોના ગુણ છે. આમ ગુણોનું વિશેષ સ્વરૂપ સ્વયં સમજી લેવું. (૬૩). 36. अथ कर्मव्याचिख्यासुराह उत्क्षेपावक्षेपावाकुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मैतत्परापरे द्वे तु सामान्ये ॥६४॥ 36. હવે આચાર્ય કર્મપદાર્થની વ્યાખ્યા કરવા ઇચ્છતા કહે છે— ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ કર્મ છે. પરસામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy