SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬૧૭ ભળવાથી ચૂર્ણકણોનો સંગ્રહ થાય છે અને પિંડ બને છે. સ્નેહગુણ મૃજાનું પણ કારણ છે, મૃજાનો અર્થ છે સ્વચ્છતા યા વૈશઘ. સ્નેહ પણ ગુરુત્વની જેમ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જલીય પરમાણુઓમાં સ્નેહ નિત્ય છે તથા કાર્યદ્રવ્યોમાં સ્નેહ અનિત્ય છે. 31. શુદ્ધં નતમૂક્યો: પતનવર્ષારામપ્રત્યક્ષમ્ । તસ્યાના પિરમાણુरूपादिवत् नित्यानित्यत्वनिष्पत्तयः । 31. ગુરુત્વ એટલે ભારેપણું. ગુરુત્વ ગુણ પૃથ્વી અને જળનો જ છે. પૃથ્વી અને જળના પતનનું કારણ તેમનો આ ગુરુત્વ ગુણ છે. તે અતીન્દ્રિય અર્થાત્ અપ્રત્યક્ષ છે. જેવી રીતે જલ આદિ પરમાણુઓના રૂપ આદિ નિત્ય છે અને જલ આદિના કાર્યદ્રવ્યોના રૂપ આદિ અનિત્ય છે તેવી જ રીતે ગુરુત્વ પણ પરમાણુગત નિત્ય છે અને કાર્યદ્રવ્યગત અનિત્ય છે. 32. વત્તું ચન્તન મંજાળ ત્રિવ્યવૃત્તિ:। તદ્દેથા સદન नैमित्तिकं च । सहजमपां द्रवत्वम् । नैमित्तिकं तु पृथिवीतेजसोरग्निसंयोगजं यथा सर्पिषः सुवर्णत्रप्वादेश्चाग्निसंयोगाद्दवत्वमुत्पद्यते । - 32. દ્રવત્વ – જે ગુણ સ્પન્દનક્રિયાનું (વહેવાની ક્રિયાનું) કારણ છે તે ગુણ દ્રવત્વ છે. આ ગુણ પૃથ્વી,જલ અને અગ્નિ આ ત્રણ દ્રવ્યોમાં રહે છે. દ્રવત્વના બે પ્રકાર છે –સાંસિદ્ધિક અને નૈમિત્તિક. સાંસિદ્ધિક એટલે સ્વાભાવિક. જલમાં સ્વાભાવિક દ્રવત્વ છે. પૃથ્વી અને તેજમાં અગ્નિના સંયોગથી દ્રવત્વ ઉત્પન્ન થાય છે. મીણ, ઘી, લાખ, સીસું આદિ પાર્થિવ દ્રવ્યો અને સુવર્ણ આદિ તૈજસ દ્રવ્યો અગ્નિના સંયોગથી પીગળી વહેવા લાગે છે. એટલે પાર્થિવ અને તૈજસ દ્રવ્યોમાં નૈમિત્તિક દ્રવત્વ છે. 33. वेगः पृथिव्यप्तेजोवायुमनःसु मूर्तिमद्दव्येषु प्रयत्नाभिघातविशेषापेक्षात्कर्मणः समुत्पद्यते, नियतदिविक्रयाकार्यप्रबन्धहेतुः स्पर्शवद्दव्यसंयोगविरोधी च । तत्र शरीरादिप्रयत्नाविर्भूतकर्मोत्पन्नवेगवशादिषोरपान्तरालेपातः, स च नियतदिक्रियाकार्यसंबन्धोन्नीयमानसद्भावः । लोष्टाद्यभिधातोत्पन्नकर्मोत्पाद्यस्तु शाखादौ वेगः । 33. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને મન આ પાંચ મૂર્ત દ્રવ્યોમાં પ્રયત્નપૂર્વક અભિઘાત કરવાથી ક્રિયા ઉત્પન્ન થાય છે અને ક્રિયાથી વેગ ઉત્પન્ન થાય છે. આ વેગના કારણે ફેંકવામાં આવેલા પથ્થર આદિ સીધા નિશ્ચિત દિશામાં જ જાય છે, આડાઅવળા જતા નથી. કોઈ સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્ત પદાર્થ સાથે ટકરાવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy