SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ તર્કરહસ્યદીપિકા દિવસો સુધી વાળી લપેટી રાખેલાં તાડપત્ર આદિને સીધા કરી છોડી દેતાં સંસ્કારના કારણે પાછા વળી જાય છે. ધનુષને ખેંચીને પછી છોડી દેતાં સંસ્કારના કારણે પૂર્વની મૂળ સ્થિતિમાં આવી જાય છે. વૃક્ષની ડાળીને નીચ તરફ થોડી ખેંચી છોડી દેતાં પાછી પોતાની મૂળ સ્થિતિમાં ઉપર જતી રહે છે. શિંગડું કે દાંતને સહેજ હલાવી છોડી દેતાં પૂર્વ સ્થિતિમાં આવી જાય છે. કડક કરેલા વસ્ત્રને, ભૂંગળું વાળી રાખેલું હોય તેને, ઉકેલીને છોડી દેતાં પાછું પૂર્વવતુ ભૂંગળું વળી જાય છે, આ પણ સંસ્કારના કારણે છે. આ બધાં ઉદાહરણોમાં સ્થિતિસ્થાપક સંસ્કારનું કાર્ય સ્પષ્ટ દેખાય. [ભાવના સંસ્કાર મનનો નહિ પણ આત્મનો વિશેષ ગુણ છે. સંસ્કાર મનથી (અન્તઃકરણથી) પણ ગ્રાહ્ય નથી. તે પણ અયાવદ્રવ્યભાવી અને અવ્યાખવૃત્તિ છે. પ્રતિકૂળ જ્ઞાન, મદ (ઉન્માદ) અને દુઃખ સંસ્કારના વિરોધી છે. તેમનાથી સંસ્કારનો લોપ થાય છે. સંસ્કારના સહાયક અર્થાત્ સંસ્કારને પ્રબળ બનાવનાર ત્રણ પ્રત્યયો (હેતુઓ) છે – (૧) પટુપ્રત્યય—અનુભવના વિષયનું આશ્ચર્યજન્ક હોવું, (૨) અભ્યાસ પ્રત્યય અને (૩) સાદરપ્રત્યય—અનુભવના વિષય પ્રત્યે આદર.] 29. પ્રક્વતનાત્મો પર ચન્ સતિ પ્રજ્વનિતમિવાત્માને મા दोहः क्रोधो मन्युरक्षमामर्ष इति द्वेषभेदाः । 29. દ્વેષ પ્રજ્વલનાત્મક હોય છે. તે હોતાં આત્મા પોતાને પ્રજ્વલિત અનુભવે છે. દ્રોહ, ક્રોધ, મન્યુ, અક્ષમા, અસહિષ્ણુતા તેના ભેદો છે. | દ્વિષ આત્માનો વિશેષગુણ છે. તે અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. ભાવિ અનિષ્ટ વિષયથી થનાર દુઃખની કલ્પનાથી કે ભૂતકાલીન અનિષ્ટ વિષયના અનુભવેલા દુઃખની સ્મૃતિથી આત્મામાં તે વિષય પ્રત્યે દ્વેષ જન્મે છે. દ્વેષની ઉત્પત્તિમાં દુઃખની કલ્પના કે સ્મૃતિ સાથે આત્મમનઃસંયોગ નિમિત્તકારણ છે. ન ગમતા વિષય તરફના દ્વેષથી તે વિષયને દૂર કરવાનો પ્રયત્ન જન્મે છે. દ્વેષ સ્મૃતિનો પણ જનક છે. જેને જેના તરફ દ્વેષ હોય છે તે તેનું સ્મરણ કર્યા કરે છે. સારાં કામો કે સારાં કામો કરનારા પ્રત્યેનો દ્વેષ અધર્મને ઉત્પન્ન કરે છે. જયારે બૂરાં કામો અને બૂરાં કામો કરનારા પ્રત્યેનો દ્વેષ ધર્મને પેદા કરે છે. આમ દ્વેષના કાર્યો પ્રયત્ન, સ્મૃતિ, ધર્મ અને અધર્મ છે. प्रयत्नस्मृतिधर्माधर्महेतुः।] 30. હોડપ વિશેષ: સંઘહમૃાતિઃ | મા ગુરુત્વવત્ नित्यानित्यत्वनिष्पत्तयः । 30. સ્નેહ એટલે ચીકાશ. આ ગુણના કારણે માટી, લોટ, વગેરે ચૂર્ણોમાં પાણી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy