SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬૦૯ મહત્પરિમાણના બે ભેદ છે – નિત્ય અને અનિત્ય. આકાશ, કાલ, દિફ અને બધા આત્માઓમાં સર્વોત્કૃષ્ટ નિત્ય મહત્પરિમાણ છે. ત્યણુક આદિ દ્રવ્યોમાં અનિત્ય મહત્પરિમાણ છે. અણુપરિમાણના પણ બે ભેદ છે – નિત્ય અને અનિત્ય. પરમાણુ અને મનમાં નિત્ય અણુપરિમાણ છે. તેની સંજ્ઞા પારિમાંડલ્ય છે કેમ કે તે ગોલક હોય છે. અનિત્ય અણુપરિમાણ કેવળ યણુકમાં જ હોય છે. બોર, આમળું, બીલું આદિ મધ્યમ પરિમાણવાળા દ્રવ્યોમાં એકબીજાની અપેક્ષાએ જે નાના અને મોટાનો યા બન્ને પ્રકારનો વ્યવહાર થાય છે તે ગૌણ છે, મુખ્ય નથી અર્થાત અનિયત છે. એનું એ જ આમળું બોરની અપેક્ષાએ મોટું પણ છે અને બીલાની અપેક્ષાએ નાનું પણ છે. તેવી જ રીતે ઈશુદંડમાં યજ્ઞમાં બાળવાની નાની લાકડીઓની અપેક્ષાએ દીર્ઘત્વ (લાંબાપણું) છે પણ વાંસની અપેક્ષાએ હસ્વત્વ (ટૂંકાપણું) છે, આમ ઈશુદંડમાં દીર્ઘત્વ અને હૃસ્વત્વ બન્નેય વ્યવહારો ગૌણ (ભાક્ત) છે, અનિયત છે. 21. નનુ મહદ્દીર્થયોચપુતિપુ વર્તમાનયોર્યપુ વાપુર્વદૂત્વો को विशेषः । महत्सु दीर्घमानीयतां दीर्धेषु महदानीयतामिति व्यवहारभेदप्रतीतेरस्ति तयोः परस्परतो भेदः । अणुत्वहस्वत्वयोस्तु विशेषो योगिनां तद्दर्शिनामध्यक्ष एव । 21. શંકા-વ્યણુક વગેરેમાં રહેતાં મહત્ત્વ અને દીર્ઘત્વમાં પરસ્પર શો ભેદ છે? વળી યમુકમાં રહેતા અણુત્વ અને હ્રસ્વત્વમાં પરસ્પર શો ભેદ છે? વૈશેષિક “મોટાઓમાંથી (મહત્ત્વવાળાઓમાંથી) દીર્ઘને (લાંબાને) લઈ આવો', “લાંબાઓમાંથી (દીર્ઘત્વવાળાઓમાંથી) મોટાને (મહત્ત્વવાળાને) લઈ આવો' આવા બે પ્રકારના વ્યવહારોથી મહત્ત્વ અને દીર્ઘત્વનો ભેદ છે એ સિદ્ધ થાય છે. [દીર્ઘત્વમાં કેવળ લાંબાપણાની અપેક્ષા છે જ્યારે મહત્ત્વમાં લંબાઈ અને પહોળાઈ બન્નેય વિવક્ષિત છે.] ત્યણુકનું પ્રત્યક્ષ તો યોગીઓને જ થાય છે. તેથી યોગીઓ જ તેમાં રહેતા હૃસ્વત્વ અને અણુત્વ વચ્ચેનો ભેદ સાક્ષાત્ દેખે છે. તે ભેદ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. 22. સંયુHપ વ્યં યશહિદ્દે પૃથગિત્યપશ્ચિયતે, તપોતિરव्यवहारकारणं पुथक्त्वम् । इदं परमिदमपरमिति यतोऽभिधानप्रत्ययौ भवतः, तद्यथाक्रमं परत्वमपरत्वं च । द्वितयमप्येतत् दिकृतं कालकृतं च। तत्र दिकृतस्येत्थमुत्पत्ति:- एकस्यां दिशि स्थितयोरेकस्य द्रष्टुरपेक्षया संनिकृष्टमवधिं कृत्वैतस्माद् विप्रकृष्टस्य परेण दिक्प्रदेशेन योगात् परत्वमुत्पद्यते, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy