SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ તર્કરહસ્યદીપિકા જોઈને “આ એક, આ એક, આ એક એવી અનેક પદાર્થોના એત્વને વિષય કરનારી અપેક્ષાબુદ્ધિ હોય છે. આ અપેક્ષાબુદ્ધિથી તે પદાર્થોમાં દ્ધિત્વ આદિ સંખ્યાઓ ઉત્પન્ન થાય છે. જ્યારે અપેક્ષાબુદ્ધિ નાશ પામે છે ત્યારે સંખ્યાનો પણ નાશ થાય છે. કેટલીક વાર આધારભૂત દ્રવ્યનો નાશ થતાં પણ દ્વિવાદિ સંખ્યા નાશ પામે છે. [તાત્પર્ય એ કે વિસ્વાદિ સંખ્યા રૂપ આદિની જેમ દ્રવ્ય જ્યાં સુધી ટકે ત્યાં સુધી ટકનારી નથી હોતી. દ્વિવાદિ સંખ્યા તો જે વ્યક્તિ જુએ છે તેની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થઈને અપેક્ષાબુદ્ધિ સમાપ્ત થતાં જ નાશ પામે છે. કેટલીક વાર આધારભૂત દ્રવ્યના નાશથી પણ દ્વિવાદિ સંખ્યાનો નાશ થઈ જાય છે. ઉદાહરણાર્થ, જે બે જલના પરપોટામાં કોઈ વ્યક્તિની અપેક્ષાબુદ્ધિથી હિન્દુ સંખ્યા ઉત્પન્ન થઈ પણ બીજી જ ક્ષણમાં પરપોટા નાશ પામ્યા એટલે તેમના આધારમાં રહેલી હિન્દુ સંખ્યા પણ નાશ પામી.] - 19. પ્રતિપૂર્વિવા પ્રસિર્વિમા:, મણિપૂર્વિલા પ્રતિ સંયોગ: एतौ च द्रव्येषु यथाक्रमं विभक्तसंयुक्तप्रत्ययहेतू । अन्यतरोभयकर्मजौ विभागसंयोगौ च यथाक्रमम् । 19. જે પદાર્થો પરસ્પર જોડાયેલા હોય, સંયુક્ત હોય તેમનું અલગ થઈ જવું, છૂટા પડી જવું એ વિભાગ છે. અને જે પદાર્થો અલગ અલગ છે, વિયુક્ત છે તેમનું પરસ્પર જોડાવું એ સંયોગ છે. પદાર્થો વિશે “આ વિભક્ત છે” “આ સંયુક્ત છે' એવાં જ્ઞાનો જે ક્રમશઃ ઉત્પન્ન કરે છે તે વિભાગ અને સંયોગ છે. સંયોગ અને વિભાગ કોઈ એક પદાર્થમાં ક્રિયા થવાથી પણ થાય છે જેમ કે વૃક્ષના ટૂંઠા ઉપર પક્ષીનું આવીને બેસવું કે ઊડી જવું, કે બન્ને પદાર્થોમાં ક્રિયા થવાથી પણ થાય છે જેમ કે કુસ્તીમાં બે પહેલવાનોનું પરસ્પર જોડાવું અને છૂટા પડવું. ___20. परिमाणव्यवहारकारणं परिमाणम् । तच्चतुर्विधं, महदणु दीर्घ हुस्वं च । तत्र महद्विविधं, नित्यमनित्यं च । नित्यमाकाशकालदिगात्मसु परममहत्त्वम् । अनित्यं व्यणुकादिषु द्रव्येषु । अण्वपि नित्यानित्यभेदाद्विविधम् । परमाणुमनःसु पारिमाण्डल्यलक्षणं नित्यम् । अनित्यं द्वयणुक एव । बदरामलकबिल्वादिषु बिल्वामलकबदरादिषु च क्रमेण यथोत्तरं महत्त्वस्याणुत्वस्य च व्यवहारो भाक्तोऽवसेयः, आमलकादिषूभयस्यापि व्यवहारत्। एवमिक्षौ समिद्वंशाद्यपेक्षया हुस्वत्वदीर्घत्वयोर्भाक्तत्वं ज्ञेयम् । 20. લાંબુ, ટૂંકું ઇત્યાદિ માપના વ્યવહારમાં કારણભૂત ગુણ પરિમાણ છે. પરિમાણના ચાર પ્રકાર છે–મહત્ (મોટું), અણુ(નાનું), દીર્ઘ (લાંબુ), હસ્વ(સૂકું). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy