SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ તર્કરહસ્યદીપિકા विप्रकृष्टं चावधिं कृत्वैतस्मात् संनिकृष्टस्यापरेण दिकप्रदेशेन योगादपरत्वमुत्पद्यते । कालकृतं त्वेवमुत्पद्यते - वर्तमानकालयोरनियतदिग्देशसंयुक्तयोर्युवस्थविरयोर्मध्ये युवानमवधिं कृत्वा चिराकालीनस्य स्थविरस्य परेण कालप्रदेशेन योगात्परत्वमुत्पद्यते, स्थविरं चावधि कृत्वाल्पकालीनस्य यूनोऽपरेण कालप्रदेशेन योगादपरत्वमुत्पद्यते । 22. પરસ્પર સંયુક્ત દ્રવ્યો પણ જેના કારણે “આ આનાથી પૃથક છે' એવા પૃથફવ્યવહારનો અર્થાત્ અપોદ્ધારવ્યવહારનો વિષય બને છે તે પૃથફત્વ ગુણ છે. આ પર અર્થાત દૂર યા જયેષ્ઠ છે, આ અપર અર્થાત્ સમીપ યા કનિષ્ઠ છે' આ પર-અપર શબ્દોના પ્રયોગમાં તથા પર-અક્ષરજ્ઞાનમાં કારણભૂત ગુણ ક્રમશઃ પરત્વ અને અપરત્વ છે. પરત્વ અને અપરત્વ બન્ને દિકુ અને કાલની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. દિકુ દ્વારા પરત્વ-અપરત્વની ઉત્પત્તિ આ રીતે થાય છે – કોઈ એક જોનારી વ્યક્તિ જયારે એક દિશામાં બે પુરુષોને ક્રમથી ઊભેલા જુએ છે તો સમીપવર્તી પુરુષની અપેક્ષાએ દૂરવર્તી પુરુષને પર – અધિક દિશાના પ્રદેશોના સંયોગો હોવાથી પર અર્થાત દૂર સમજે છે તથા દૂરવર્તીની અપેક્ષાએ નિકટવર્તીને અપર– ઓછા દિશાના પ્રદેશોના સંયોગો હોવાથી અપર અર્થાત નિકટ સમજે છે. તેથી ક્રમશઃ દૂરવર્તી અને સમીપવર્તી પદાર્થોમાં અધિક યા ન્યૂન દિશાના પ્રદેશોના સંયોગોથી પરત્વ અને અપરત્વ ગુણોની ઉત્પત્તિ થાય છે. તેમના કારણે “આ આનાથી દૂર છે યા “આ આનાથી નજીક છે' એવો દૂર-સમીપનો વ્યવહાર થાય છે. કાલકૃત પરત્વ-અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે – કોઈ દિશામાં યા દેશમાં વિદ્યમાન યુવાન અને વૃદ્ધમાં યુવાનની અપેક્ષાએ ચિરકાલીન વૃદ્ધમાં પર અર્થાત્ અધિક કાલપ્રદેશના સંયોગ હોવાથી પરત્વ (જ્યેષ્ઠત્વ)ની ઉત્પત્તિ થાય છે તથા વૃદ્ધની અપેક્ષાએ ઉંમરમાં નાના યુવાનમાં અપર અર્થાત્ અલ્પ કાલના પ્રદેશના સંયોગ હોવાથી અપરત્વ (કનિષ્ઠત્વ)ની ઉત્પત્તિ થાય છે. 23. વૃદ્ધિજ્ઞનું જ્ઞાનાન્તરપ્રદ્યિમ્ સ તિવિથ-વિદ્યાવિદ્યા ૨તત્રविद्या चतुर्विधा संशयविपर्ययानध्यवसायस्वप्नलक्षणा । विद्यापि चतुर्विधा-प्रत्यक्षलैङ्गिकस्मृत्यार्षलक्षणा । प्रत्यक्षलैङ्गिके प्रमाणाधिकारे व्याख्यास्येते । अतीतविषया स्मृतिः । सा च गृहीतग्राहित्वान्न प्रमाणम् । ऋषीणां व्यासादीनामतीतादिष्वतीन्द्रियेष्वर्थेषु धर्मादिषु यत्प्रातिभं तदार्षम्। तच्च प्रस्तारेणर्षीणां, कदाचिदेव तु लौकिकानां, यथा कन्यका ब्रवीति 'श्वो मे भ्राता [ आगन्तेति हृदयं मे कथयति' इति । आर्षं च प्रत्यक्ष Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy