SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૬ તર્કરહસ્યદીપિકા ધર્મ અને ધર્મીમાં રહેવું સ્વતઃ કે પરતઃ કોઈ પણ રીતે માની પણ લઈએ તો પણ સમવાય અમુક સંબંધીઓમાં જ સંબંધ કરે છે એ નિયમ કરવો શક્ય નથી કેમ કે તમે નૈયાયિકો સમવાયને એક નિત્ય અને વ્યાપક માનો છો એટલે સમવાય તનુનો પટની જેમ ઘટની સાથે પણ સંબંધ કરાવી આપવો જોઈએ. સમવાય એક, નિત્ય અને વ્યાપક હોઈ, સમવાય સંબંધ જગતની સર્વ વસ્તુઓમાં હોવાનો, અર્થાત કોઈ પણ બે વસ્તુઓમાં તે હોવાનો, અમુક જ બે વસ્તુઓમાં તેના હોવાનો નિયમ બને નહિ. 429. ના સંયોજક, ર દિ તીર્થસાધનલિીનાં કવન્ દ્વિ તો મિત્રો वा स्यादभिन्नो वा । प्राचि पक्षे कथं विवक्षितानामेवैष किं नान्येषामपि भेदाविशेषात् । न च समवायोऽत्र नियामकः तस्य सर्वत्र सदृशत्वात् । द्वितीये तु साध्यादीन्येव स्युः न कश्चित्संयोगो नाम । कथंचिद्भिन्नसंयोगाङ्गीकारे तु परवादाश्रयणं भवेत् । 429. જો સાધ્ય અને સાધનનો પરસ્પર સંયોગ સંબંધ માનવામાં આવે તો અમે જૈનો તમને તૈયાયિકોને પૂછીશું કે તે સંયોગ સંબંધ સાધ્ય અને સાધનથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે એમ કહેશો તો “તે આ જ સાધ્ય અને સાધનનો સંયોગ છે, અન્યોનો નથી' એવો નિયમ બની શકશે નહિ. જો સંયોગ વિવક્ષિત સાધ્ય-સાધનથી એટલો જ ભિન્ન છે જેટલો અવિવક્ષિત સાધ્ય-સાધનોથી તો શા કારણે સંયોગને વિવક્ષિત સાધ્ય-સાધનનો જ કહેવામાં આવે અને અન્ય અવિવક્ષિત સાધ્ય-સાધનોનો ન કહેવામાં આવે? સમવાય તો નિત્ય અને વ્યાપક હોવાથી બધી વસ્તુઓ પ્રત્યે તે સમાન છે, તેનો એકસરખો સંબંધ છે, તેથી તે અમુક સાધ્ય-સાધન સાથે સંયોગનો સંબંધ કરાવી શકે નહિ, અર્થાત્ તે અમુક સાધ્ય-સાધન સાથે સંયોગ સંબંધ થવામાં અને અન્ય સાધ્ય-સાધનો સાથે સંયોગ સંબંધ ન થવામાં નિયામક બની શકે નહિ. હવે અભિન્ન પક્ષને વિચારીએ. જો સંયોગ સાધ્ય-સાધનથી અભિન્ન હોય તો સાધ્ય-સાધનનું જ અસ્તિત્વ રહે, સંયોગનું અસ્તિત્વ ન રહે, અભેદમાં તો બેમાંથી એક જ બચે. જો સંયોગને સાધ્ય-સાધનથી કથંચિત્ ભિન્ન માનશો તો તમારે જૈનોના અનેકાન્તવાદનો આશ્રય લેવો પડે. 430. નાપિ વિરોધોfપઘાત:, તથાણેત્તમ સંમવાન્ સ હિ सहानवस्थानं परस्परपरिहारो वा भवेत् । तत्राद्ये किं कदाचिदप्येकत्रानवस्थानमुत कियत्कालं स्थित्वा पश्चादनवस्थानम् । आद्ये पक्षेऽहिनकुलादीनां न विरोधः स्यात् अन्यथा त्रैलोक्येऽप्युरगादीनामभावः । द्वितीये तु नरवनि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy