SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૬૫ तन्तव इत्येवं प्रतीतिदर्शनात्, इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात्। सत्त्वे वा समवायस्य स्वत एव धर्मधादिषु वृत्त्यभ्युपगमे तद्वत्साध्यादिधर्माणापि स्वत एव धर्मिणि वृत्तिरस्तु किं व्यर्थया समवायकल्पनया । समवायस्य समावायान्तरण वृत्त्यभ्युपगमे तु तत्राप्यपरसमवायकल्पनेऽनवस्थानदी दुस्तरा । अस्तु समवायस्य स्वतः परतो वा वृत्तिः, तथापि तस्य प्रतिनियतानामेव संबन्धिनां संबन्धकत्वं न स्यात् अपि त्वन्येषामपि व्यापकत्वेन, तस्य सर्वत्र तुल्यत्वादेकस्वभावत्वाच्च । 428. તમે તૈયાયિકો જ કહો કે સાધ્ય અને સાધનનો પરસ્પર તેમ જ ધર્મી સાથે ક્યો સંબંધ છે ? શું તેમનો સંબંધ સમવાય માનવો, કે સંયોગ, કે વિરોધ, કે વિશેષણવિશેષ્યભાવ, કે તાદાભ્ય, કે પછી તદુત્પત્તિ? સાધ્ય ધર્મ (દા.ત. અગ્નિ) અને ધર્મી (દા.ત. પર્વત)નો સમવાય સંબધ તો માની શકાય નહિ કેમ કે ધર્મ અને ધર્મી સિવાય તે બેમાં રહેનારો કોઈ ત્રીજો સમવાય સંબંધ નામનો પદાર્થ તો કોઈ પણ પ્રમાણથી જ્ઞાત થતો જ નથી. જો “આ ધર્મ છે, આ ધર્મી છે અને આ તેમનો સમવાય છે એ પ્રમાણે સમવાયનું ધર્મ-ધર્મીથી ભિન્ન જ્ઞાન થતું હોય તો સમવાયનું અસ્તિત્વ માની શકાય, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી, તો પછી ધર્મ-ધર્મીથી ભિન્ન સમવાયનું અસ્તિત્વ કેમ મનાય? વળી, “આ તખ્તઓમાં પટ છે' ઇત્યાદિ “ - આ આમાં છે” એવું જ્ઞાન, જે સમવાયની સિદ્ધિ માટે આપવામાં આવે છે તે, ખરેખર અલૌકિક છે. ઉઘાડા પગે ચાલનારો ગામડાનો સામાન્ય માણસ પણ “પટમાં તખ્તઓ છે એમ કહે છે અને નહિ કે “તત્તઓમાં પટ છે.” જો “ – આ આમાં છે' એ આકારના જ્ઞાનથી જ સમવાય સિદ્ધ થતો હોય તો “આ ભૂતલે ઘટનો અભાવ છે. આ જ્ઞાનથી ભૂતલ અને ઘટાભાવમાં સમવાય સિદ્ધ થવો જોઈએ, પરંતુ તમે તૈયાયિકો ભૂતલ અને ઘટાભાવ વચ્ચે સમવાયસંબંધ માનતા નથી. માની લઈએ કે સમવાયનું અસ્તિત્વ છે, તો પ્રશ્ન એ ખડો થશે કે તે ધર્મ અને ધર્મીમાં બીજા સમવાય સંબંધથી રહે છે કે બીજા સમવાય સંબંધ વિના જ સ્વતઃ રહે છે? જો કહેશો કે બીજા સમવાય સંબંધ વિના સ્વતઃ જ રહે છે તો પછી સમવાયની જેમ જ સાધ્ય આદિ ધર્મો પણ પોતપોતાના ધર્મીમાં સ્વતઃ જ રહે છે એમ તમારે નૈયાયિકોએ માનવું જોઈશે, ધર્મ-ધર્મીમાં સમવાયની નકામી વ્યર્થ કલ્પના કરવાથી શો ફાયદો? જો કહો કે સમવાય બીજા સમવાય સંબંધથી ધર્મ અને ધમાં રહે છે તો તે બીજો સમવાય પણ પોતાના સંબંધીઓમાં ત્રીજા સમવાયથી રહેશે અને આમ અનન્ત સમવાયોની કલ્પના કરવાથી અનવસ્થા નામનો દોષ થશે. આ અનવસ્થા નદીને તરી પેલે પાર પહોચવું અશક્ય છે. ભલે સમવાયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy