SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત પ૬૭ तादेपि विरोध: स्यात्, तयोरपि किंचित्कालमेकत्र स्थित्वापगमात् । किंच वडवानलजलधिजलयोर्विद्युदम्भोदाम्भसोश्च चिरतरमेकत्रावस्थातः कथमयं विरोधः । परस्परपरिहारस्तु सर्वभावानामविशिष्टः कथमसौ प्रतिनियतानामेव મન I. 430. સાધ્ય અને સાધનમાં પરસ્પર વિરોધનો સંબંધ છે એમ પણ તમે મૈયાયિકો ન કહી શકો કેમ કે તમે તો સાધ્ય અને સાધનમાં એકાન્ત ભેદ માનો છો અને તેથી આ એકાન્તભેદના પક્ષમાં વિરોધ સિદ્ધ કરવો અસંભવ છે. વળી, તમે તૈયાયિકો બતાવો કે સાધ્ય અને સાધનમાં સહાનવસ્થાનરૂપ વિરોધ છે કે પરસ્પરપરિહારસ્થિતિરૂપ ? તે બેમાંથી જો સહાનવસ્થાનરૂપ વિરોધને સ્વીકારશો તો અમે જેનો તમને પૂછીશું કે શું તેઓ ક્યારેય પણ એક જગાએ સાથે નથી રહેતા કે થોડો સમય સાથે રહી પછી અલગ થઈ જાય છે ? જો ક્યારેય પણ એક જગાએ સાથે ન રહેનારાઓમાં જ સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો સાપ અને નોળિયો વગેરે પણ ક્યારેક તો એક સાથે પણ રહે છે, તેથી તેમનામાં સહાનવસ્થાનરૂપ વિરોધ છે એમ તમે નહિ કહી શકો. વળી, તમે જો સાપ અને નોળિયા વચ્ચે આવો સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો જગતમાંથી સાપો છે લોપ જ થઈ જાય. હવે બીજો વિકલ્પ વિચારીએ. જો થોડો સમય સાથે રહી પછી અલગ થઈ જનારાઓમાં સહાનવસ્થાનરૂપ વિરોધ સ્વીકારશો તો થોડો વખત સાથે રહી પછી અલગ થઈ જનાર સ્ત્રી અને પુરુષમાં પણ તમારે સહાનવસ્થાનરૂપ વિરોધ માનવો પડે.વળી, જો થોડોક વખત જ સાથે રહી પછી અલગ થનારમાં સહાનવસ્થાનરૂપ વિરોધ માનશો તો લાંબો વખત સાથે રહી પછી અલગ થનાર વડવાનલ અને સમુદ્રનું પાણી, વીજળી અને જલધરજલ, આદિમાં તમારે વિરોધ માનવો છોડી દેવો પડે, કેમ કે તેઓ લાંબો વખત સાથે રહે છે. હવે પરસ્પરપરિહારસ્થિતિરૂપ વિરોધનો વિકલ્પ વિચારીએ. પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ તો સામાન્યતઃ બધી જ વસ્તુઓમાં હોય જ છે. પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુથી ભિન્ન અર્થાત્ અલગ સ્થિતિ રાખે છે. તેથી આ સર્વસાધારણ વિરોધનો સંબંધ અમુક સાધ્યસાધનો સાથે જ કેમ જોડી શકાય? 431. નાખિ વિશેષ વિશેષ્યમાવો પરમર્તિ, તર્થ સંયો દમવેऽभावात् तस्य तु प्रागेव निरासात् । 43. સાધ્ય અને સાધનમાં વિશેષણવિશેષ્યભાવ પણ ઘટતો નથી કેમ કે વિશેષણવિશેષ્યભાવ તો તે પદાર્થોમાં હોય જેમનામાં પહેલેથી કોઈ સમવાય કે સંયોગ આદિ સંબંધ હોય, પરંતુ તમારા નૈયાયિકોના મતમાં તો સાધ્ય અને સાધનમાં સંયોગાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy