SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૦૧ આપેલું અનુમાન પણ જ્ઞાન (પ્રત્યય) જ છે, એટલે તે પણ સ્વપ્નના દૃષ્ટાન્તથી ભ્રાન્ત બની જશે, અને તો પછી તેનાથી સત્તાનાન્તરની સિદ્ધિ નહિ થઈ શકે. સત્તાનાન્તરનું (અન્ય જ્ઞાનસત્તાનોનું યા ચિત્તસન્તાનોનું) સાધક અનુમાન સ્વપ્નજ્ઞાનની જેમ નિર્વિષયક થા નિરાલંબન જ હોવાનું, તેથી સન્તાનાન્તરનો અભાવ જ થઈ જવાનો. પરંતુ સત્તાનાન્તરનો અભાવ માનવો કોઈ પણ રીતે ઉચિત નથી, કેમ કે ગુરુ-શિષ્ય, વાદી-પ્રતિવાદી આદિના રૂપમાં અનેક જ્ઞાનસત્તાનો યા ચિત્તસત્તાનો પ્રત્યક્ષથી જ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા અનુભવમાં આવે છે. •366. इतरज्ज्ञेयं परोक्षं प्रागुक्तात् प्रत्यक्षादितरत्-अस्पष्टतयार्थस्य स्वपरस्य ग्राहकं-निर्णायकं परोक्षं ज्ञेयम्-अवगन्तव्यम् । परोक्षमप्येतत् स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह 'ग्रहणेक्षया' इति । इह ग्रहणं प्रस्तावादपरोक्षे बाह्यार्थे ज्ञानस्य प्रवर्तनमुच्यते न तु स्वस्य ग्रहणं, स्वग्रहणापेक्षया हि स्पष्टत्वेन सर्वेषामेव ज्ञानानां प्रत्यक्षतया व्यवच्छेद्याभावाद्विशेषणवैयर्थ्यं स्यात्, ततो ग्रहणस्य बहिःप्रवर्तनस्य या ईक्षा-अपेक्षा तया, बहिःप्रवृत्तिपर्यालोचनयेति यावत् । तदयमत्रार्थ:- परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षं, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते 366. “ઇતરને પરોક્ષ જાણવું” અર્થાત્ પહેલાં જણાવેલા પ્રત્યક્ષથી ભિન્ન, અસ્પષ્ટરૂપે સ્વ અને પરનું ગ્રાહક અર્થાત્ નિશ્ચય કરનારું જ્ઞાન પરોક્ષ છે એમ જાણવું સમજવું. અસ્પષ્ટજ્ઞાન પરોક્ષ હોય છે. પરોક્ષ જ્ઞાનો પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ હોય છે કેમ કે બધાં જ જ્ઞાનો સ્વરૂપસંવેદી હોવાના કારણે પ્રત્યક્ષ હોય છે. આત્મામાં પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય કે સંશયજ્ઞાન તેના સ્વરૂપનું પ્રત્યક્ષ થઈ જ જાય છે. એવું તો બની શકે જ નહિ કે જ્ઞાન ઉત્પન્ન તો થઈ જાય પરંતુ તેનું પ્રત્યક્ષ થાય નહિ, જ્ઞાન તો દીપકની જેમ સ્વરૂપને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે. તેથી પરોક્ષ જ્ઞાન પણ સ્વરૂપનું ગ્રહણ કરવામાં તો પ્રત્યક્ષ જ છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ સંજ્ઞાઓ તો બાહ્ય પદાર્થને સ્પષ્ટ અને અસ્પષ્ટરૂપે જાણવાના કારણે ઊભી થયેલી છે. આ વાતને સૂચવવા માટે શ્લોકમાં ગ્રહણેશયા' પદ મૂકવામાં આવ્યું છે. અર્થાત્ તે જ્ઞાન બાહ્ય પદાર્થની અપેક્ષાએ પરોક્ષ છે. “ગ્રહણ'નો અર્થ આ પ્રત્યક્ષના પ્રકરણમાં આ છે – જ્ઞાને અપરોક્ષ બાહ્ય અર્થમાં પ્રવૃત્તિ કરવી', અને નહિ કે “જ્ઞાને પોતાના સ્વરૂપને જાણવું.' સ્વરૂપને જાણવાની અપેક્ષાએ તો બધાં જ્ઞાનો સ્પષ્ટ તથા પ્રત્યક્ષ છે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy