SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ તર્કરહસ્યદીપિકા તો કોઈ અસ્તિત્વ ધરાવતો જ નથી, તેથી બાહ્ય અર્થને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન જ નથી. બધાં જ જ્ઞાનો પોતાના જ આકારોને યા રૂપોને ગ્રહણ કરે છે. જૈન– જો વાસ્તવિક બાહ્ય અર્થ હોય જ નહિ અને જ્ઞાન પોતે જ પોતાના નોલપીત આકારે પ્રકાશતું હોય તો પોતાના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાન સિવાય અન્ય જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોનું, જેમને તમે બૌદ્ધો સન્તાનાન્તરો કહો છો તેમનું, પણ અસ્તિત્વ નહિ રહે. પરંતુ તમે બૌદ્ધો તો અન્ય જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોનું અસ્તિત્વ સ્વીકારો છો. વિજ્ઞાનવાદી– અનેક જ્ઞાનસન્તાનો યા ચિત્તસત્તાનોનું અસ્તિત્વ અમે સ્વીકારીએ છીએ કેમ કે તેમનું અસ્તિત્વ સિદ્ધ કરનાર અનુમાન છે. તે અનુમાન આ છે દેવદત્તના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનથી ભિન્ન યજ્ઞદત્ત આદિના જ્ઞાનસન્તાનો યા ચિત્તસન્તાનોમાં થતી વચનવ્યવહાર યા પ્રવૃત્તિઓ બુદ્ધિપૂર્વકની છે કેમ કે તે વચનવ્યવહાર તથા પ્રવૃત્તિઓ છે, જેમ કે ખુદ પોતાના જ જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનમાં થતી બુદ્ધિપૂર્વકની વચનપ્રવૃત્તિ તથા અન્ય પ્રવૃત્તિ. આપણે આપણા પોતાના જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનમાં વચનપ્રવૃત્તિ તથા અન્ય પ્રવૃત્તિઓનો જ્ઞાનની સાથે કાર્યકારણભાવ ગ્રહણ કરીએ છીએ – આપણામાં જ્ઞાન છે એટલે સારી રીતે બોલીએ છીએ તથા અન્ય ભોજન આદિ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. તેવી જ રીતે યજ્ઞદત્ત આદિ પણ બોલે છે તથા ભોજન આદિ પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેમની આ પ્રવૃત્તિઓ જ તેમને સ્વતન્ત્ર જ્ઞાનસન્તાન યા ચિત્તસન્તાનરૂપ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. જૈન— તમારી વાત યોગ્ય નથી. તમે નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોને ગ્રહણ કરનાર જ્ઞાનને (પ્રત્યયને) બ્રાન્ત કહો છો. તમારું આ પ્રસિદ્ધ અનુમાન છે—–જગતના બધાં જ્ઞાનો નિરાલંબન છે અર્થાત્ તેમનો કોઈ બાહ્ય અર્થ વિષય નથી, તેઓ કેવલ પોતાના રૂપને યા આકારને જ વિષય કરે છે, કેમ કે તે જ્ઞાન છે. જે જે જ્ઞાન છે તે બધાં નિરાલંબન છે – નિર્વિષય છે, જેમ કે સ્વપ્નશાન. જેવી રીતે સ્વપ્નમાં ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ન હોવા છતાં પણ સેંકડો ઘટ, પટ આદિ પદાર્થોનો સાક્ષાત્ નિયતરૂપમાં પ્રતિભાસ થાય છે તેવી જ રીતે આ જગત પણ એક દીર્ઘસ્વપ્ન છે, તેમાં - આ ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થોનું કોઈ અસ્તિત્વ જ નથી, કેવળ જ્ઞાન જ આ બધાં રૂપે યા આકારે પ્રતિભાસિત થાય છે, પ્રકાશે છે, તેથી તમે જેવી રીતે સ્વપ્નનું દૃષ્ટાન્ત આપી નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોના જ્ઞાનોને ભ્રાન્ત દર્શાવી નીલ-પીત આદિ બાહ્ય પદાર્થોનો અભાવ સિદ્ધ કરો છો તેવી જ રીતે આ સન્તાનાન્તરનું સાધક તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy