SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ તર્કરહસ્યદીપિકા પ્રત્યક્ષના લક્ષણમાં “અપરોક્ષતયાવિશેષણ વ્યર્થ બની જાય. જો કોઈ પરોક્ષરૂપે જાણનારું જ્ઞાન હોય તો જ તેની વ્યાવૃત્તિ કરવા માટે “અપરોક્ષતયા' વિશેષણ સાર્થક બને. તેથી ગ્રહણની એટલે બાહ્ય પદાર્થોને વિષય કરવાની પ્રવૃત્તિની ઈક્ષાથી એટલે અપેક્ષાથી પદાર્થોનો અસ્પષ્ટરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન પરોક્ષ છે. ગ્રહણેક્ષાનો સીધો અર્થ છે–બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિનો વિચાર યા અપેક્ષા. જો કે સ્વસંવેદનની અપેક્ષાએ તો પરોક્ષ પણ સ્પષ્ટ હોવાથી પ્રત્યક્ષ જ છે તેમ છતાં લિંગ (હેતુ) યા શબ્દ આદિ દ્વારા બાહ્ય પદાર્થોનું ગ્રહણ અસ્પષ્ટરૂપે કરતું હોવાથી પરોક્ષ કહેવાય છે. પરોક્ષતા બાહ્ય અર્થની અપેક્ષાએ જ છે. (૫૬) 367. રથ પ્રભુજીવ વસ્તુનોડનત્તમવત્ત યત્રીयेनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्तत्सदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ॥५७॥ 367. હવે પહેલાં કહેવામાં આવેલ વસ્તુની અનન્તધર્માત્મકતાને આચાર્ય વધુ પ્રમાણો આપી દઢ કરે છે જે કારણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળી જ વસ્તુ સત્ હોય છે તે જ કારણે પહેલાં અનન્તધર્માત્મક વસ્તુને પ્રમાણનો વિષય કહેલ છે. (૫૭) | 368. વ્યાધ્યા-વેનેતિ શબ્દો વ્યાધ્યાયતે વાક્યસ્થ સાવધારાत्वात् यदेव वस्तूत्पादव्ययध्रौव्यैः समुदितैर्युक्तं तदेव सद्विद्यमानमिष्यते । उत्पत्तिविनाशस्थितियोग एव सतो वस्तुनो लक्षणमित्यर्थः । 368. શ્લોકવ્યાખ્યા- “યેન (જ કારણે)' શબ્દનું વ્યાખ્યાન આગળ ઉપર કરવામાં આવશે. બધાં વાક્યો સાવધારણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે, તેથી જે વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણેય વડે એક સાથે યુક્ત હોય છે તે જ વસ્તુ સત અર્થાત વિદ્યમાન છે એમ કહેવું ઈષ્ટ છે. ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણેયથી એક સાથે યુક્ત હોવું એ જ સત્ વસ્તુનું લક્ષણ છે. જેમાં આ ત્રણે ધર્મો એક સાથે હોય તે જવસ્તુને સત્ કહી શકાય. 369. નનુ પૂર્વમત બાવવ્યિથથવ્યયોજાદઃ પશ્ચાત્સવમ; तर्हि शशशृङ्गादेरपि तद्योगात्सत्त्वं स्यात् । पूर्वं सतश्चेत्; तदा स्वरूपसत्त्वमायातं किमुत्पादादिभिः कल्पितैः । तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्योत्पादादित्रययोगात्सत्त्वम्; तदानवस्थाप्रसक्तिः । स्वतश्चेत्सत्त्वम्; तदा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy