SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૮૩ અસર્વજ્ઞતા સિદ્ધ કરવી અસંભવ છે કેમ કે વક્તૃત્વનો સર્વજ્ઞતા સાથે કોઈ વિરોધ નથી તથા અસર્વજ્ઞતા સાથે કોઈ મિત્રતા નથી. વક્તૃત્વ હેતુ વિપક્ષમાં અર્થાત્ સર્વજ્ઞમાં હોતો નથી જ એ નિશ્ચિતપણે સિદ્ધ નથી, કેમ કે સર્વજ્ઞ પણ હોય અને વક્તા પણ હોય એ શક્ય છે. એટલે વક્તૃત્વ હેતુનું વિપક્ષ સર્વજ્ઞમાં ન જ હોવું સંદિગ્ધ છે. [બીજી રીતે કહીએ તો વક્તૃત્વ હેતુ એ નિશ્ચિતપણે સિદ્ધ કરી શકતો નથી કે વક્તા અસર્વજ્ઞ છે કેમ કે વક્તૃત્વ તો સર્વજ્ઞમાં પણ હોય છે. વક્તૃત્વ સર્વજ્ઞ અને અસર્વજ્ઞ બન્નેમાં પ્રાપ્ત થતું હોઈ વક્તૃત્વ સંદેહ ઊભો કરે કે વક્તા સર્વજ્ઞ હશે કે અસર્વજ્ઞ.] આ સમગ્ર વિવેચનથી એ સારી રીતે સિદ્ધ થઈ જાય છે કે કોઈ પણ અનુમાન સર્વજ્ઞતાનું બાધક નથી. 73. નાય્યામમ:, સહિ પૌષયોૌસ્ત્રેયો વા । ન તાવીજેયઃ तस्याप्रामाण्यात्, वचनानां गुणवद्वक्त्रा ( का ) धीनतया प्रामाण्योपपत्तेः । किंच अस्य कार्ये एवार्थे प्रामाण्याभ्युपगमान्न सर्वतः स्वरूपनिषेधे प्रामाण्यं स्यात् । न चाशेषज्ञाभावसाधकं किंचिद्वेदवाक्यमस्ति, “हिरण्यगर्भः सर्वज्ञः " इत्यादिवेदवाक्यानां तत्प्रतिपादकानामनेकशः श्रवणात् । 73. આગમ પણ સર્વજ્ઞતાનું બાધક નથી. અમે જૈનો પૂછીએ છીએ કે કયું આગમ બાધક છે – પૌરુષય કે અપૌરુષેય ? પૌરુષેય આગમ એટલે કોઈ વિશિષ્ટ પુરુષે રચેલું આગમ. અપૌરુષેય આગમ એટલે જેને કોઈ પુરુષે રચ્યું નથી, જે સ્વયંસિદ્ધ છે તે વેદ. અપૌરુષેય વેદ પ્રમાણ છે એ વસ્તુ જ સિદ્ધ નથી ત્યારે તેના વડે સર્વજ્ઞતાનો બાધ થાય જ નહિ. વચનોમાં પ્રમાણતા વક્તાના ગુણોથી આવે છે. ગુણવાન નિર્દોષ વક્તાનાં વચનો યથાર્થ અને પ્રામાણિક જ હોય. અજ્ઞાની અને કષાયયુક્ત વક્તાનાં વચનો મિથ્યા અને વિસંવાદી જ હોય. જ્યારે વેદનો કોઈ આદ્ય વક્તા જ નથી ત્યારે તેમાં પ્રમાણતા કેવી રીતે માની શકાય ? વળી, આપ મીમાંસક વેદને સ્વરૂપવર્ણનમાં કે નિષેધોમાં પ્રમાણ માનતા નથી, આપ વેદને કર્તવ્ય અર્થમાં અર્થાત્ પ્રવર્તક વિધિ (આજ્ઞા)માં જ પ્રમાણ માનો છો. વળી, વેદમાં સર્વજ્ઞના સર્વથા સાર્વકાલિક સાર્વદેશિક અભાવનું સાધક કોઈ વાક્ય નથી. ઊલટું, ‘હિરન્થર્મ: સર્વજ્ઞ: (હિરણ્યગર્ભ સર્વજ્ઞ છે)' ઇત્યાદિ અનેક વાક્યો વેદમાં એવાં મળે છે જે સર્વજ્ઞતાનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. 74. नाप्युपमानं तद्बाधकम्; तत्खलूपमानोपमेययोरध्यक्षत्वे सति गोगवयवत् स्यात् । न चाशेषपुरुषाः सर्वज्ञश्च केनचिदृष्टाः येन 'अशेषपुरुषवत्सर्वज्ञः सर्वज्ञवद्वा ते' इत्युपमानं स्यात् । अशेषपुरुषदृष्टौ च तस्यैव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy