SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨.. તર્કરહસ્યદીપિકા સર્વજ્ઞને સિદ્ધ કરતો હોઈ વિરુદ્ધ છે. ત્રીજા વિકલ્પમાં હેતુ અનૈકાન્તિક છે. કેવળ બોલવું (વસ્તૃત્વમાત્ર) તો જેમ અસર્વજ્ઞમાં હોય છે તેમ સર્વજ્ઞમાં પણ હોય છે. તેથી કેવળ બોલવા માત્રથી સર્વજ્ઞતા કે અસર્વજ્ઞતા સિદ્ધ ન કરી શકાય. બોલવાનો સર્વજ્ઞતાથી કોઈ વિરોધ નથી કે અસર્વજ્ઞતાથી કોઈ મિત્રતા નથી. તે તો બન્ને સાથે સમાનપણે જાય છે. તેથી કેવળ બોલવું એ (વક્તતૃત્વમાત્ર) હેતુ વ્યભિચારી હોવાથી અસર્વજ્ઞતાને સિદ્ધ કરી શકતો નથી.] 11. તેન સુતાવિપક્ષો પ્રત્યાઘાયિ, પ્રોપાનુષविशेषात् । किंच, प्रतिनियतसुगतादेः सर्वज्ञतानिषेधेऽन्येषां तद्विधिरवश्यंभावी, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात्, ‘अयमब्राह्मणः' इत्यादिवदिति । 71. આ જ રીતે બુદ્ધ આદિ કોઈ ખાસ વ્યક્તિને ધર્મી માનીને તેની સર્વજ્ઞતાનો નિષેધ કરવામાં પણ ઉપર દર્શાવેલા બધા દોષો આવે છે. તેમ છતાં જો આપ કોઈ ખાસ સુગત યા કપિલમાં સર્વજ્ઞતાનો નિષેધ કરી પણ દેશો તો પણ તેનાથી સર્વજ્ઞતાનો સર્વથા સાર્વત્રિક સાર્વકાલિક નિષેધ તો નહિ જ થાય. જ્યારે આપ એ કહેશો કે “બુદ્ધ યા કપિલ સર્વજ્ઞ નથી ત્યારે એનો અર્થ જ એ થાય કે “તેમના સિવાય કોઈ બીજી વ્યક્તિ સર્વજ્ઞ છે.' કોઈ વિશેષ વ્યક્તિમાં કોઈ વિશેષ ધર્મનો નિષેધ કરવાથી શેષ વ્યક્તિઓમાં તે ધર્મનો સભાવ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણોના મહોલ્લામાં ચારપાંચ બાળકો રમતા હતા, તેમનામાંથી કોઈ ખાસ બાળકની તરફ ઇશારો કરી “આ બ્રાહ્મણ નથી' કહેવાનો અર્થ એ જ નીકળશે કે બાકીનાં બાળકો બ્રાહ્મણ છે. તેવી જ રીતે મહાવીર, કપિલ, સુગત, શિવ આદિમાંથી કોઈ કપિલ આદિમાં જ સર્વજ્ઞતાનો નિષેધ કરી અસર્વજ્ઞતા સિદ્ધ કરવાનું તાત્પર્ય જ એ છે કે બાકીના મહાવીર આદિ સર્વજ્ઞ છે. તેથી આ રીતે પણ સર્વજ્ઞતાનો સર્વથા સાર્વત્રિક સાર્વકાલિક નિષેધ કરી શકાતો નથી. 72. મતિઃ સર્વપુરુષાનુરીત્ય તેષામસર્વજ્ઞતા વવારે સાધ્યતે, તન્ન; विपक्षात्तस्य व्यतिरेकासिद्धया संदिग्घविपक्षव्यावृत्तिकत्वात् सर्वज्ञोऽपि भविष्यति वक्तापीति । तन्नानुमानं सर्वज्ञबाधकम् । 72. જગતના બધા પુરુષોને ધર્મી બનાવીને તેમની અસર્વજ્ઞતા વક્તત્વ આદિ હેતુઓ વડે જો આપ સાધતા હો તો તે પણ શક્ય નથી. “જગતના બધા પુરુષો અસર્વજ્ઞ છે કારણ કે તેઓ વક્તા છે અર્થાત્ બોલે છે' આ રીતે બધા પુરુષોને ધર્મી માનીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy