SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૮૧ તો સર્વશનું બોલવું ઘટે નહિ એટલે વસ્તૃત્વ હેતુ જ અસિદ્ધ બની જાય અને જો સર્વજ્ઞનું બોલવું ઘટે છે (વક્નત્વ હેતુ ઘટે છે) એમ સ્વીકારો તો પછી સર્વજ્ઞ નથી (સાધ્ય) એ સ્વીકારતાં સ્વવચનવિરોધનો દોષ આવે. “સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞ બોલે છે... આમ કહેવામાં તો સ્પષ્ટપણે પોતાના જ વચનનો નિષેધ કરવાપણું રહેલું છે. જયારે સર્વજ્ઞા જ નથી ત્યારે તે બોલે કેવી રીતે? જો સર્વજ્ઞ બોલતા હોય તો સર્વજ્ઞનો અભાવ કેવી રીતે હોઈ શકે? તેનો અભાવ પણ હોય અને તે બોલે પણ આ બે વાતો એક સાથે બને જ નહિ. આ તો કોઈ સુપુત્ર પોતાની માતાને વંધ્યા કહે એના જેવું થયું.] તેથી છેવટે એ નિષ્કર્ષ નીકળ્યો કે કોઈ પણ હેતુ સર્વજ્ઞનો સર્વથા આત્મત્તિક અભાવ સિદ્ધ કરવા સમર્થ નથી. 69. નાવ્યસર્વજ્ઞત્વે સાર્થ સર્વજ્ઞ સર્વજ્ઞ રૂત્યેવ, વિરેચત્રાર્થविशिष्टत्वात् । 69. સર્વજ્ઞને ધર્મી બનાવીને તેમાં અસર્વજ્ઞતા સિદ્ધ કરવી એમાં તો સ્પષ્ટ વિરોધ છે. જયારે તે સર્વજ્ઞ છે જ નહિ ત્યારે તેમાં અસર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થઈ શકે? “તે સર્વજ્ઞ પણ છે અને અસર્વજ્ઞ પણ છે એમ કહેવામાં પરસ્પરવિરોધ સ્પષ્ટ છે. 70. ત્રિ મસર્વત્વે સાચ્ચે સર્વજ્ઞ પ્રભાવિદ્ધાર્થવ ત્વમ, तद्विपरीतम्, वक्तृत्वमात्रं वा हेतुत्वेन विवक्षितम् । प्रथमोऽसिद्धो हेतुः, सर्वज्ञस्य तथाभूतार्थवक्तृत्वासंभवात् । द्वितीयपक्षे तु विरुद्धः, दृष्टेष्टाविरुद्धार्थवक्तृत्वस्य सर्वज्ञत्वे सत्येव संभवात् । तृतीयपक्षेऽप्यनैकान्तिकः, वक्तृत्वमात्रस्य सर्वज्ञत्वेन विरोधासंभवात् । . 70. વળી, શું પ્રમાણવિરુદ્ધ અસત્ય બોલવાના કારણે આપ તેને અસર્વજ્ઞ સિદ્ધ કરો છો કે સત્ય બોલવાના કારણે કે કેવળ બોલવાના કારણે ? આપને શું વિવક્ષિત છે એ જણાવો. પ્રથમ વિકલ્પમાં તો હતુ અસિદ્ધ છે, કારણ કે જે સર્વજ્ઞ હોય તે અસત્ય બોલે જ નહિ. જ્યારે વસ્તુના યથાર્થ સ્વરૂપનું તેને પરિજ્ઞાન છે અને વળી તે વીતરાગ છે ત્યારે તે અસત્ય શા માટે બોલે? તે અસંભવ છે. [વસ્તુઓનું બરાબર જ્ઞાન ન હોવાથી અથવા રાગદ્વેષ આદિ કષાયોના કારણે જ મનુષ્ય મિથ્યાપ્રલાપ કરતો હોય છે, જ્ઞાની અને વીતરાગી મહાત્માઓમાં તો મિથ્યા બોલવાનું કોઈ કારણ જ હોતું નથી.] બીજા વિકલ્પમાં હેતુ વિરુદ્ધ છે. જ્યારે તે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણોથી બાધિત ન થનારાં સત્ય વચનો બોલે છે ત્યારે તે અસર્વજ્ઞ કેવી રીતે હોય? આવાં વચનોનું વસ્તૃત્વ તો સર્વજ્ઞમાં જ સંભવે અર્થાત્ પ્રસ્તુત હેતુ સાધ્ય અસર્વજ્ઞના વિરોધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy