SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ તર્કરહસ્યદીપિકા "विविक्ते दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ॥१॥" वा विन्ध्यवासी त्वेवं भोगमाचष्टे"पुरुषोऽविकृतात्मैव स्वनिर्भासमचेतनस् । મનઃ રતિસાંનિધ્યાપાધિ (ઘેડ)ટિયથા રા" રૂતિ 22. વળી, આત્મા ભોક્તા છે, અનુભવ કરનાર છે. તે ભોક્તા છે પણ સાક્ષાત્ ભોક્તા નથી, પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિમાં સંક્રાન્ત સુખ-દુઃખનો પુરુષ ભોક્તા કહેવાય છે એનું કારણ તો કેવળ એટલું જ છે કે બુદ્ધિમાં પ્રતિબિંબિત અર્થાત્ સંક્રાન્ત સુખદુઃખનું પ્રતિબિંબ પુરુષના પોતાના નિર્મળ આત્મામાં યા સ્વરૂપમાં પડે છે. આ બુદ્ધિ બન્ને તરફ પ્રતિબિંબગ્રાહી ચમકતી સપાટી ધરાવતા દર્પણ જેવી છે. બુદ્ધિની દર્પણ સાથે સરખામણી આપણામાં ભ્રાન્તિ પેદા કરે છે. સુખ-દુઃખ બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે અને સુખ-દુ:ખનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એનો ખરો અર્થ એ છે કે બુદ્ધિ પોતે સુખાકારે કે દુઃખાકારે પરિણમે છે. આમ બુદ્ધિની બાબતમાં પ્રતિબિંબનો અર્થ પરિણામ સમજવાનો છે. એટલે બુદ્ધિમાં સુખાકારતા કે દુઃખાકારતા પરિણામરૂપ છે. એથી ઊલટું પુરુષમાં સુખાકારતા કે દુઃખાકારતા ખરેખર પ્રતિબિંબરૂપ છે. સુખ-દુઃખ બુદ્ધિના ધર્મો છે, બુદ્ધિ જ સુખરૂપે કે દુઃખરૂપે પરિણમે છે અને સુખરૂપ કે દુઃખરૂપ પરિણમેલી બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આ રીતે બુદ્ધિગત સુખ-દુઃખનું પ્રતિબિંબ પુરુષમાં પડવું એ જ પુરુષનો સુખ-દુ:ખનો ભોગ છે.] આચાર્યો પણ કહે છે કે “બુદ્ધિ વડે અધ્યવસિત અર્થનો પુરુષ બોધ કરે છે.” [આ વાક્યનો અર્થ એ છે કે ઘટપટ આદિ અર્થના આકારે બુદ્ધિનો પરિણામ એ જ બુદ્ધિનો અર્થવ્યવસાય છે અને ઘટપટ આદિ અર્થના આકારે પરિણમેલી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો બોધ છે.] ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ જાસુદના ફૂલ આદિ રંગીન વસ્તુની સન્નિધિથી સ્વચ્છ સ્ફટિક પણ લાલ આદિ રંગવાળો કહેવાય છે તેમ પ્રકૃતિની સન્નિધિ યા ઉપાધિથી સ્વચ્છ પુરુષ પણ સુખ-દુઃખાદિનો ભોક્તા કહેવાય છે. અભયદેવસૂરિના વાદમહાર્ણવમાં અર્થાત સન્મતિટીકામાં કહ્યું છે, “બુદ્ધિરૂપી દર્પણમાં સંક્રાન્ત થયેલું અર્થપ્રતિબિંબ સ્વચ્છપુરુષરૂપી બીજા દર્પણમાં પડે છે, તે જ પુરુષનું ભોક્તાપણું છે, પુરુષમાં પ્રતિબિંબ પડવાથી પુરુષ વિકારી બની જવાની આપત્તિ આવતી નથી.” [ ]. આચાર્ય આસુરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy