SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૨૦૩ - કહે છે, “જેમ સ્વચ્છ જલમાં ચન્દ્રનું પ્રતિબિંબ પડે છે તેમ બુદ્ધિમાં બુદ્ધિથી ભિન્ન પુરુષના આકારનો પરિણામ થવો – પરિણામરૂપ પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો ભોગ છે. અર્થાત્ પુરુષનો ભોગ બુદ્ધિનિષ્ઠ છે.” [અહીં આપણે જોઈએ છીએ કે આસુરિ સુખાકાર કે દુઃખાકાર બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડતું માનતા નથી. એટલે પુરુષને ભોક્તા કેવી રીતે ગણી શકાય ? તેમના મતે તો પુરુષનું બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ જ બુદ્ધિમાં ઊઠતા સુખાકાર કે દુ:ખાકારને ધારણ કરે છે એટલે તે પુરુષનું પ્રતિબિંબ ભોક્તા છે, પુરુષ ભોક્તા નથી – આવી વિચિત્રતા ઊભી થાય છે. પોતાની સાંખ્યતત્ત્વકૌમુદીમાં વાચસ્પતિ મિશ્ર પણ આ જ મતનો સ્વીકાર કરે છે. વિજ્ઞાનભિક્ષુ આ મતની સખત ટીકા કરે છે. તે જણાવે છે કે પુરુષમાં સુખાકાર કે દુઃખાકાર બુદ્ધિનું પ્રતિબિંબ માનતાં તેનામાં પરિણામીપણું આવી જશે એ ભયમાંથી આ વિચિત્ર મત ઉદ્ભવ્યો છે. પરંતુ તુચ્છ અવસ્તુભૂત પ્રતિબિંબના કારણે પુરુષમાં પરિણામપણું આવી જવાનો ભય અસ્થાને છે. યદ્યપિ पुरुषश्चिन्मात्रोऽविकारी तथापि बुद्धेर्विषयाकारवृत्तीनां पुरुषे यानि प्रतिबिम्बानि तान्येव पुरुषस्य वृत्तयः, न च ताभिः अवस्तुभूताभिः परिणामित्वं स्फटिकस्येवातत्त्वतोऽસામાવાત્ । ઉપર વાદમહાર્ણવમાં પણ આ જ વાત કહી છે. પુરુષમાં સુખાકારે કે દુઃખાકારે પરિણમવારૂપ ભોગનો નિષેધ છે પરંતુ પુરુષમાં સુખાકાર કે દુઃખાકારનું કે પ્રતિબિંબ ધારણ કરવા રૂપ ભોગનો નિષેધ નથી.] વિન્ધ્યવાસીએ ભોગને આ રીતે સમજાવ્યો છે – “પુરુષ તો સ્વભાવે સર્વથા અવિકારી છે, પરંતુ અચેતન મન સાંનિધ્યના કારણે પુરુષમાં પ્રતિબિંબિત થઈને તેને પોતાના આકારવાળો બનાવી દે છે, જેમ જાસુદનું ફૂલ આદિ ઉપાધિઓ સ્ફટિકને પોતાના સમાન લાલ, લીલો કે પીળો બનાવી દે છે.” " 23. तथा नित्या या चिच्चेतना तयाभ्युपेतः, एतेन पुरुषस्य चैतन्यमेव स्वरूपं, न तु ज्ञानं ज्ञानस्य बुद्धिधर्मत्वादित्यावेदितं द्रष्टव्यम् । केवलमात्मा स्वं बुद्धेव्यतिरिक्तमभिमन्यते, सुखदुःखादयश्च विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति, बुद्धिश्चोभयमुखदर्पणाकारा, ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते, ततः सुख्यहं दुःख्यहं ज्ञाताहमित्युपचर्यते । आह च पतञ्जलिः - 'शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्मापि तदात्मक इव प्रतिभासते " [ योगभा० २।२० ] इति । "बुद्धिश्चाचेतनापि चिच्छक्तिसंनिधानाच्चेतनावतीवावभासते " इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy