SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૪ તર્કરહસ્યદીપિકા સ્વરૂપવાળું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે એવો અર્થ થાય છે. આ પક્ષમાં પ્રમાણતાને સિદ્ધ કરનારી યા પ્રમાણતાની પ્રયોજક સાધકતમરૂપવાળી કારકતા તો ઘોતિત થતી નથી, તેથી આ પક્ષમાં તો અકારક જ્ઞાન પણ પ્રત્યક્ષપ્રમાણ બની જવાની આપત્તિ આવે છે. પરંતુ અકારકને પ્રત્યક્ષપ્રમાણ માનવું ઉચિત નથી, કેમ કે પ્રમાના સાધકતમ કારકને જ પ્રમાણ કહેવામાં આવે છે. જે અકારક હોય તે સાધકતમ હોઈ શકે જ નહિ. આ પક્ષમાં જ્ઞાન જ પ્રમાણ છે, તેથી (તોલતી વખતે) સાધકતમભૂત ત્રાજવું તથા સોનાનાં કાટલાં વગેરે, દીપક આદિ અને સત્રિકર્ષ તથા ઇન્દ્રિય આદિ અજ્ઞાનરૂપ હોવાથી પ્રત્યક્ષપ્રમાણ નહિ બની શકે. પરંતુ સૂત્રકારે તો તેમને સાધકતમ હોવાથી પ્રમાણ માન્યાં છે. એટલે જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણોવાળો આ પ્રથમ પક્ષ યોગ્ય નથી. 29. નાપિ સામવિશેષUપક્ષ, સામવિશેષUપક્ષે રોવું સૂત્રાર્થ स्यात्- प्रमातृप्रमेयचक्षुरादीन्द्रियालोकादिका ज्ञानजनिका सामग्री इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टज्ञानजननात् उपचारेणेन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टा सती प्रत्यक्षमिति । एवं च सामग्र्याः सूत्रोपात्तविशेषणयोगित्वं तथाविधफलजनकत्वादुपचारेणैव भवति, न तु स्वत इति । न तु युक्तस्तत्पक्षोऽपि । 29. તેવી જ રીતે કારણસામગ્રીના વિશેષણોવાળો પક્ષ પણ યોગ્ય નથી કેમ કે આ પક્ષ અનુસાર સૂત્રનો આવો અર્થ થશે– ‘પ્રમાતા, પ્રમેય, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા પ્રકાશ આદિ કારણસામગ્રી પ્રત્યક્ષપ્રમાણરૂપ છે. તે કારણસામગ્રી ઇન્દ્રિયાર્થસકિત્પન્ન આદિ વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરતી હોવાના કારણે તે કારણસામગ્રીમાં પણ ઉપચારથી ઇન્દ્રિયાસક્સિકત્પન્ન આદિ વિશેષણોનો અન્વય થઈ જાય છે. આમ કારણસામગ્રી ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ બનીને પ્રમાણ બને છે. પરંતુ આ રીતે તો સૂત્રમાં કહેવામાં આવેલાં વિશેષણોનો સાક્ષાત્ સંબંધ કારણસામગ્રીમાં નથી પણ ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરવાના કારણે ઉપચારથી જ સામગ્રીમાં ઉક્ત વિશેષણોનો સંબંધ બને છે, સ્વત: બનતો નથી. તેથી કારણસામગ્રીમાં ઉપચારરૂપ પ્રમાણતા લાવનારો આ પક્ષ યોગ્ય નથી. 30. પત્નવિષાપક્ષસ્તુ યુતિ : પત્ર પક્ષે “યત: 'રૂધ્યાહાર્યમ્ | ततोऽयमर्थ:- इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणं ज्ञानं यत इन्द्रियार्थसंनिकर्षादेर्भवति, स इन्द्रियार्थसंनिकर्षादिः प्रत्यक्षं प्रमाणम् । ज्ञानं च प्रत्यक्षप्रमाणफलम् । यदा तु ततोऽपि ज्ञानाद्धानोपादानादिबुद्धय उत्पद्यन्ते, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy