SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૧૩ કર્યા. પહેલો ટુકડો લક્ષણવચન છે અને બાકીનો બીજો ટુકડો વિભાગવચન છે. જેઓ આખા સૂત્રને લક્ષણવચન ગણે છે તે પૂર્વાચાર્યો ‘અવ્યપદેશ્ય’ પદનો અર્થ આ પ્રમાણે કરે છે— જે વ્યપદેશથી (=શબ્દથી) જન્ય નથી અર્થાત્ ઇન્દ્રિયસન્નિકર્ષ તેમજ વ્યપદેશ(શબ્દ) બન્નેથી જન્ય નથી, અથવા જે વ્યપદેશનો (શબ્દનો) વિષય નથી અર્થાત્ જે ઇન્દ્રિયાર્થસશિકર્ષજન્ય હોવા સાથે વ્યપદેશનો વિષય નથી. આ પૂર્વાચાર્યોની પરંપરાને તોડનારા ત્રિલોચન, વાચસ્પતિ વગેરેએ અવ્યપદેશ્યનો અર્થ કર્યો વ્યપદેશાસંસૃષ્ટ (શબ્દાસંસૃષ્ટ) અર્થાત્ નિર્વિકલ્પક. તેમના મતે જે જ્ઞાન પોતાના વિષયને તેના નામથી યુક્ત (તેમજ જાતિ આદિથી યુક્ત)જાણતું નથી તે જ્ઞાન શબ્દાસંસૃષ્ટ છે, અવ્યપદેશ્ય છે. અવ્યપદેશ્યના આ અર્થને વાચસ્પતિના પોતાના શબ્દોમાં સમજીએ. તે પોતાની ન્યાયવાર્તિકતાત્પર્યટીકામાં લખે છે– ‘વ્યપદેશનો અર્થ થાય છે વિશેષણ અને ઉપલક્ષણથી નામ, જાતિ વગેરે પણ. આ વિશેષણોનો જે વિષય તે વ્યપદેશ્ય યા વિશેષ્ય કહેવાય. આમ ‘વ્યપદેશ્ય’ પદથી વિશેષણવિશેષ્યભાવ સૂચિત થાય છે. જે જાતિ આદિને અને તેમની વચ્ચેના વિશેષણવિશેષ્યભાવને જાણે તે વ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. એથી ઊલટું જે નામ, જાતિ વગેરેને સ્વરૂપથી જાણે પણ તેમની વચ્ચેના વિશેષણવિશેષ્યભાવને ન જાણે તે અવ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. આવું અવ્યપદેશ્ય જ્ઞાન, જે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્ન છે તે, પ્રત્યક્ષ જ છે. વ્યપદેશ્ય જ્ઞાન વ્યવસાયાત્મક છે, નિશ્ચયાત્મક છે, સવિકલ્પક છે. અવ્યપદેશ્ય જ્ઞાન વ્યવસાયાત્મક નથી, નિર્વિકલ્પક છે.”] 28. अत्र च सूत्रे फलस्वरूपसामग्रीविशेषणपक्षास्त्रयः संभवन्ति । तेषु स्वरूपविशेषणपक्षो न युक्तः । यथोक्तविशेषणं ज्ञानं प्रत्यक्षमिति हि तत्रार्थः स्यात् । तथा चाकारकस्य ज्ञानस्य प्रत्यक्षत्वप्रसक्तिः, न चाकारकस्य प्रत्यक्षत्वं युक्तम् असाधकतमत्वात्साधकतमस्यैव च प्रमाणत्वात् । तुलासुवर्णादीनां प्रदीपादीनां संनिकर्षेन्द्रियादीनां चाबोधरूपाणामप्रत्यक्षत्वप्रसङ्गश्च । इष्यते चैषां सूत्रकृता प्रत्यक्षत्वम् । तन्न स्वरूपविशेषणपक्षो યુńઃ । 28. આ સૂત્રમાં આવેલાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાત્પન્ન આદિ વિશેષણોની બાબતમાં ત્રણ પક્ષો સંભવે છે - (૧) તે જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણો છે, (૨) તે પ્રમાણના ફળનાં વિશેષણો છે, (૩) તે કારણસામગ્રીનાં વિશેષણો છે. આ ત્રણ પક્ષોમાંથી જ્ઞાનના સ્વરૂપનાં વિશેષણોવાળો પહેલો પક્ષ યોગ્ય નથી કેમ કે આ પક્ષમાં ‘ઉક્ત વિશેષણોથી વિશિષ્ટ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે' અથવા ‘ઉક્ત વિશેષણોવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy