SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ૧૧૫ तदा हानादिबुद्ध्यपेक्षया ज्ञानं प्रमाणं हानादिबुद्धयस्तु फलम् । “यदा ज्ञानं प्रमाणं तदा हानादिबुद्धयः फलम् ।" [ न्यायाभा० १११३] इति वचनात् । यथा चानुभवज्ञानवंशजायाः स्मृतेस्तथा चायमित्येतज्ज्ञानमिन्द्रियार्थसंनिकर्षजत्वात् प्रत्यक्षफलम् । तत्स्मृतेस्तु प्रत्यक्षता । सुखदुःखसंबन्धस्मृतेस्त्विन्द्रियार्थसंनिकर्षसहकारित्वात्तथा चायमिति सारूप्यज्ञानजनकत्वेनाध्यक्षप्रमाणता । सारूप्यज्ञानस्य च सुखसाधनोऽयमित्यानुमानिकफलजनकत्वेनानुमानप्रमाणता । न च सुखसाधनत्वशक्तिज्ञानमिन्द्रियार्थसंनिकर्षजं शक्तेरसंनिहितत्वात् । आत्मनो मनइन्द्रियेण संनिकर्षे सुखादिज्ञानं फलम् । मनइन्द्रियस्य तत्संनिकर्षस्य च प्रत्यक्षप्रमाणता । एवमन्यत्रापि यथार्ह प्रमाणफलविभागोऽवगन्तव्य इति । 30. પ્રમાણના ફળનાં વિશેષણોવાળો પક્ષ નિર્દોષ તથા યુક્તિસંગત છે. આ પક્ષમાં “યતઃ (જનાથી)' શબ્દનો અધ્યાહાર કરવો જોઈએ. તેમ કરતાં સૂત્રનો અર્થ આ પ્રમાણે થશે – ઇન્દ્રિયાર્થસર્ષોિત્પન્ન આદિ વિશેષણોવાળું જ્ઞાન જે ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષ આદિથી ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષ આદિ પ્રત્યક્ષપ્રમાણ છે. જ્ઞાન તો પ્રત્યક્ષપ્રમાણનું ફળ છે. હા, એ ખરું કે જયારે તે જ્ઞાનથી પણ ઉત્તરકાળે હાનઉપાદાનાદિ બુદ્ધિઓ ઉત્પન્ન થાય ત્યારે હાનોપાદાનાદિબુદ્ધિની અપેક્ષાએ તે જ્ઞાન પ્રમાણ બને છે અને હાનોપાદાનાદિ બુદ્ધિઓ પ્રમાણનું ફળ બને છે. “જ્યારે જ્ઞાન પ્રમાણ હોય છે ત્યારે હાનોપાદાનાદિબુદ્ધિઓ પ્રમાણફળ હોય છે” ન્યિાયભાષ્ય, ૧.૧.૩] એવું આચાર્યોનું વચન છે. તેવી જ રીતે, વસ્તુના પૂર્વે થયેલા અનુભવના સંસ્કારો વર્તમાન વસ્તુને જોતાં જાગવાથી તે સંસ્કારોથી થતી પૂર્વાનુભૂત વસ્તુની મૃતિથી “આ તેના સદશ છે' એવું ઇન્દ્રિયાર્થસગ્નિકર્મોત્પન્ન પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં પ્રત્યભિજ્ઞાનરૂપ પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણનું ફળ છે તથા સ્મૃતિ સાધકતમ હોવાથી પ્રત્યક્ષપ્રમાણ છે. સુખ-દુઃખસંબંધની સ્મૃતિ ઇન્દ્રિયાર્થસત્રિકર્ષની સહાયતાથી “તેના જેવો આ છે' એવા સાદશ્યજ્ઞાનરૂપ પ્રત્યભિજ્ઞાનને, જે પ્રત્યક્ષજ્ઞાનરૂપ જ છે તેને, ઉત્પન્ન કરે છે એટલે પ્રત્યક્ષપ્રમાણ છે પરંતુ સાદડ્યજ્ઞાન પોતે તો “તેના જેવો આ પણ સુખસાધન છે” એવા અનુમાનરૂપ ફળને ઉત્પન્ન કરતું હોઈ અનુમાન પ્રમાણ છે, પ્રત્યક્ષપ્રમાણ નથી. તેનું કારણ એ છે કે સુખસાધનારૂપ શક્તિનું જ્ઞાન ઇન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થતું નથી કેમ કે શક્તિ અતીન્દ્રિય હોઈ સનિકૃષ્ટ નથી. આત્માનો મનરૂપ ઈન્દ્રિય સાથે સકિર્ષ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy