Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 181
________________ [ ૧૭૦ ] વિશ્વજ્યાતિ સંસારમાં એવા કયા મનુષ્ય સાંસારિક ઇચ્છાઓને પૂછ્યું કરી દેહાન્ત થાય છે ? મહાશય ! આ માનવ સંસારની અપૂર્ણ સુખસામગ્રીને દેખીને આપ એ નિર્ણય ઉપર આવ્યા હશે. કે, આ પૃથ્વી પર કેવળ પુણ્યના કળા જ ભાગવવા પડતા નથી. તેથી પુણ્યના ફળા ભાગવવાને માટે કાઇ નુઠ્ઠું સ્થાન હાવુ જોઇએ કે જ્યાં ઉત્પન્ન થવાવાળાં પ્રાણી દીર્ઘકાળ સુધી ફક્ત સુખનેા ઉપલેાગ કરે. આ સ્થાન દેવલે ક જ હોઇ શકે કે જ્યાં જીવાત્મા હજારો, લાખા વર્ષોથી અધિક સમય સુધી દેવાની માક સુખ ભાગવી શકે, * હા, ઉત્તમ પ્રકૃતિના ગુણી મનુષ્યને “ સવાર ''થી દેવ કહી શકાય, પરંતુ ઉત્પત્તિથી દેવ તે તે કહેવાય કે જે સ્વર્ગ લેાકમાં ઉત્પન્ન થઈ મનુષ્યાથી અનેકગણી શક્તિ અને વિલક્ષણુ દિવ્ય કાન્તિને ધારણ કરવાવાળા હોય. ભગવાન મહાવીરના ઉક્ત ખુલાસાથી મૌર્યપુત્રની શંકા નષ્ટ થઈ ગઈ અને નિગ્રન્થ પ્રવચનનું શ્રવણ કરી પેાતાના છાત્રમંડલ સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. ૮. અકસ્જિતની દીક્ષા હવે ભગવાન મહાવીર અકસ્પતના માનસિક સ ંદેહ દૂર કરતાં ખેલ્યા—અકમ્મિત ! શું તમને નરકના ડેાવાપણા સંબંધી શંકા છે ? અર્પિત–હા ભગવંત, જોકે દાર્શનિક લેાક નરક નામક એક અગમ્ય સ્થાનની કલ્પના કરે છે પરંતુ મારી સમજમાં તે આ પ્રણાલી કલ્પના માત્ર ભાસે છે, જેને વિદ્વાન લેાકેા નરક કહે છે. મારા વિચાર પ્રમાણે એનું તાત્પય મનુષ્ય જીવનની એક નિકૃષ્ટતમ દશા છે. મહાવીર—મનુષ્યની નિકૃષ્ટ દશાને નરક માનતાં કમ સિદ્ધાન્તને નિર્વાહ નથી થઈ શકો. મનુષ્ય સંપૂર્ણ પણે દુ:ખી હૈાય છતાં તેમાં સુખને અશ તેા છે જ. જે જીવ જીવન પંત હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર અને પરિગ્રહમાં લીન રહે છે, હજારો પ્રાણીઓના પ્રાણ હરણ કરે છે, સેકડો વાર અસત્ય આવે છે, લાખાને લૂટે છે, અસખ્ય અનાચાર કરે છે અને સમગ્ર દુનિયાનું રાજ્ય મેળવી એમાં પેાતાની પ્રવૃત્તિએ ની જીવનયાત્રા સમાપ્ત કરે છે એના માટે શું નિકૃષ્ટ મનુષ્ય ગતિ અથવા કીટ, પતંગાદિના જન્મ ખસ થશે ? એવા ક્રૂર કમ ચારીઓના છૂટકારો મનુષ્ય અથવા તિર્યંચગતિના દુ:ખાથી જ નથી હાતા, પરંતુ એમને ક ફળ ભોગવવા માટે કઇ એક એવું સ્થાન જોઈએ જ્યાં સુખના અંશ સરખા પણુ ન હોય. તથા ત્યાં તેમનું આયુષ્ય કરોડ વ`તુ હેાય. આ પ્રકારે કેવલ દુઃખાત્મક સ્થાન નરક કહેવાય છે. અકલ્પિત—પરંતુ “નેં હૈં લૈ હૈં નહે નાળાઃ સતિ // આ પ્રકારના વચનેથી તે એ સિદ્ધ થાય છે કે મરણ પામીને નરકમાં નારક નથી હાતા, પછી નરકની કલ્પના શા સારુ કરવી જોઇએ ? " મહાવીર—શાસ્ત્રમાં નરકનું પ્રતિપાદન તે કર્યું છે “નાને હૈ. પણ ગાયતે ચ: સદ્દાખમાતિ “” આ વેદવાકયમાં શૂદ્ભુતુ અન્ન ખાનારને નરકના અધિકારી વર્ણ ન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198