Book Title: Vidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio Author(s): Devji D Khona Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 9
________________ desto stulestastestestosteste testoboostesse coste destestostesleslasestedelsesteste defesa dodasteesestabeslesedadlastede stedestestlasteste slastadsbesies 9C (૧૦૦૨) મેરૂતુંગસૂરિએ અનેક નરેંદ્રોને પ્રતિબોધ આપી, જૈન ધર્માનુરાગી કર્યા છે. નૃપતિઓની પર્ષદામાં ઉપદેષ્ટા મેરૂતુંગસૂરિ ખૂબ ખૂબ સન્માન પામ્યા હતા અને તેમના ઉપદેશથી ‘અમારિ–પડ’ની ઘેષણાદિ અનેક ધર્મકાર્યો પણ થયાં હતાં. મેરૂતુંગસૂરિ તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જૈન આચાર્ય હતા. તેમણે આર્ય નૃપતિઓ ઉપરાંત મુસલમાન રાજાઓ ઉપર પણ અસાધારણ પ્રભાવ દર્શાવ્યો હતે. (૧૦૦૫) મેરૂતુંગસૂરિનું સ્થાન અંચલગચ્છના ઇતિહાસમાં ખૂબ જ ઊંચું છે. તેમના દેહાવસાનથી અંચલગચછને ઇતિહાસનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયે. મહેંદ્રપ્રભસૂરિ અને મેરૂતુંગસૂરિને સમય આરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવો ઉજ્જવલ છે. એ જ સમય ધર્મમૂતિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં પણ નીરખાય છે. આ ગચ્છના ઉદયકાળ પછી તેની પ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી બનાવનાર આ આચાર્ય જ છે. એ દૃષ્ટિએ તેમના ખરેખર અનુગામી ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને જ કહી શકાય. એટલું ચોકકસ છે કે, તેમના સમયમાં આ છે જે સર્વાગી વિકાસ સાધ્યું હતું, તે બીજા કોઈ ગચ્છનાયકના સમયમાં જોવામાં નથી આવતું. સમગ્ર દષ્ટિએ વિચારતાં મે તુંગસૂરિનું વ્યક્તિત્વ મુખ્યતઃ ચાર પ્રકારે ઘડાયેલું જણાય છે. શ્રમણ, સાહિત્યકાર, ગચ્છનાયક અને ધર્મોપદેશક રૂપે. મહિમાવાન અને મેધાવી ગચ્છનાયક તરીકે તેમની હરોળમાં સ્થાન પામી શકે તેવા આચાર્ય અંચલગચ્છમાં જ નહીં, પણ સમગ્ર જૈન ઈતિહાસમાં ગણ્યાગાંઠયા જ છે. અંચલગચ્છના ભાગ્યવિધાતા મેરૂતુંગસૂરિનો મૂર્તિમાન અમર આત્મા અને તેમને અનુકરણીય ગુણસમુચ્ચય આપણને આદશ પથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે અને સોદિત રહેશે. (૩) ધર્મમૂર્તિસૂરિ – કલ્યાણસાગરસૂરિ શ્રી ધર્મમૂર્તિસૂરિ : (૧૦૩) નાગડા ગોત્રીય શેઠ હંસરાજનાં પત્ની હાંસલદેવીની કૂખે ખંભાતમાં વિ. સં. ૧૫૮૫ માં ધર્મદાસ નામના પુત્રને જન્મ થયે. વિ. સં. ૧૫૯૯૯માં ગુણનિધાનસૂરિ પાસે દક્ષા અંગીકાર કરી. વિ. સ. ૧૬૦૨ માં અમદાવાદમાં સૂરિપદ અને ગ૭નાયકપદ પામ્યા. વિ. સં. ૧૬૭૦ માં પ્રભાસપાટણમાં ચિત્ર સુદ ૧૫ના દિને સ્વર્ગવાસી થયા. (૧૪૧૫) આ સમયમાં શમણુજીવન કાંઈક શિથિલ થયું હતું. સંપ્રદાયની છિન્નભિન્નતાને એ યુગ હતો. કડવા મત, લેકા મત (સ્થાનકવાસી), બીજા મત ઇત્યાદિ એમ ઝ આર્ય કયાણાગામસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16