Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. લિક સુખમાં મગ્ન થએલો આત્મા, પિતાને બીજાના કરતાં આધક માને છે અને ધર્મ માર્ગ તરફ લક્ષ આપતું નથી. જાણે હું અમર છું એવા વિચારથી દઢ સંકલ્પ કરી ક્ષણિક વસ્તુઓમાં આત્મા, અજ્ઞાન ભાવે - માત્ર ધારણ કરે છે. સ્ત્રી, પુત્ર, ધનાદિક પરવસ્તુઓના લોભે કરી આત્મા, ક્રોધ, માન, માયા, આદિ કષાયોની પરંપરાને વધારી કર્મથી બારે થાય છે, શરીરમાં રહેલા આત્માને જ પ્રશ્ન પુછે કે, હે ચેતન તને સંસાર પ્યાર લાગે છે કે મુક્તિ છે જે સંસાર પ્યારે લાગતો હોય તો તું હજી કંઈ તત્ત્વ સમજ્યો નથી એમ જણાય છે. અને જે તને મુક્તિ પામવાની ઇચ્છા હોય તો કેમ પરવસ્તુને પોતાની માની મુંઝાય છે ? રાગ દેષાદિને નાશ થાય તેમ કેમ પ્રવૃત્તિ કરતો નથી ? જળમાં કે કમળ રહે છે તો પણ તે જળથી ન્યારું રહે છે, તેમ તારી ઇચ્છા કેમ થતી નથી ? ઘડીમાં શાક કરે છે, ઘડીમાં હસે છે. એમ જુદા જુદા ભાવ ધારણ કરે છે એ સર્વ બહિરાત્મપણાનું લક્ષણ છે. પરની નિંદા કરવી, અદેખાઈ કરવી, એ સર્વ બહિરાત્મભાવનું લક્ષણ છે. ૫રમાં મારાપણાની બુદ્ધિ થાય છે, તેને ત્યાગ કર, અને આત્મામાં અનંત ગુણ છે, તે પિતાના છે, તેમ નિશ્ચય કર. જે જે વસ્તુઓ આંખે દેખાય છે, તે થકી હું ત્યારે છું. એમ પુનઃ પુનઃ મનમાં ભાવનાકર હવે તેથી પણ આગળ વધી વિચાર, કે મારી કોઈ નિંદા કરે છે. અગર મને વખાણે છે, અગર મારું કોઈ ભુંડું કરે છે, એ સર્વ આત્માને ઘટે. કે પુદગલને ઘટે? આત્માની નિંદા કરવાને કોઈ સમર્થ નથી. આત્માનું કોઈનાથી ભુંડું થવાનું નથી. નિંદા અગર સ્તુતિ એ શરીરની ઉપાધિ છે. સિદ્ધ પરમાત્માની કોઈ નિંદા કરો અગર સ્તુતિ કરે, પણ તેથી સિદ્ધના છને નિંદા અગર સ્તુતિથી કંઈ પણ નથી. તેમ આત્મા ધારે તો તેને પણ છે. શરીરમાં વ્યાપીને રહેલો અરૂપી આત્મા, શરીર પ્રપંચને કયારે ત્યાગ કરશે, અને અશરીરી કયારે થશે ? એ આત્મા જ્યાં સુધી પાંચ પ્રકારનાં શરીરરૂપ કેદખાનામાં વસેલો છે, ત્યાં સુધી તાવિક સુખભૂત મુક્તિપદ કેવી રીતે મેળવી શકે ? જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી દુઃખનું દુઃખ કર્મવડે કરી શરીર અને શરીરથી પગલિક સુખ દુઃખને ઉપભેગે અને પાછાં તેજ શરીર, કમ એમ અતંતભાવથી થતું આવ્યું છે, અને હજી કયાં સુધી થશે ? જ્યાં સુધી આત્માએ શરીરના સજાની માફક પરવસ્તુથી મોટાઈ માની છે, ત્યાં સુધી અંતની મોટાઈ કહે શી રીતે પામી શકાય ? બહિરાત્મા અંતરાત્મપદ જ્યારે અનુભવે છે, ત્યારે રાગાદિક શત્રુઓ સ્વતઃ દૂર થાય છે. જેમ જેમ અંતા , ઉ પરનું ધ્યાન ધરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 390