Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 118
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કઈ રીતે અસંવ્યવહાર નગરની સાથે આ પાડો બહુતર તુલ્ય છે ? તે ‘તથાન્નિ’થી બતાવે છે પ્રમાણે તે અસંવ્યવહાર નગરમાં ગોલક નામના પ્રાસાદોના મધ્યવર્તી જે નિગોદ નામના ઓરડાઓ હતા તેઓમાં પ્રત્યેકને આશ્રયીને=દરેક ઓરડાઓને આશ્રયીને, અનંતા લોકો સ્નેહના અનુબંધથી સંપિંડિત વસે છે. આ પણ પાટકમાં બહુતમ લોકો=વધારે લોકો, તે પ્રમાણે જ વસે છે. કેવલ અસંવ્યવહારનગર સંબંધી લોકો ક્યારેય લોકવ્યવહારમાં અવતાર પામતા નથી એથી અસંવ્યવહારિક લોકો કહેવાય છે, તે જીવો જો વળી તારી જેમ ભગવતી લોકસ્થિતિના આદેશથી સકૃત જ અન્ય સ્થાનોમાં જાય છે=એક વખત અન્ય સ્થાનોમાં જાય છે, અન્યથા જતા નથી=લોકસ્થિતિના આદેશ વગર એક વખત પણ અન્ય સ્થાનોમાં જતા નથી, વળી આ પાટક સંબંધી આ લોકો લોકવ્યવહારને કરે છે. શેષ સ્થાનોમાં ગમનાગમન કરે છે તેથી સંવ્યવહારિક એ પ્રમાણે કહેવાય છે અને અસંવ્યવહાર નગર સંબંધી એવા તેઓનું=જેઓ અનાદિ નિગોદમાંથી નીકળ્યા નથી તેવા અસંવ્યવહાર નગર સંબંધવાળા જીવોનું, અનાદિ વનસ્પતિ એ પ્રમાણે સર્વનું પણ સામાન્ય અભિધાન છે. વળી, આ પાટકસંબંધી જીવોનું વનસ્પતિ અભિધાન છે એટલો વિશેષ છે. તથા પ્રત્યેકચારી વનસ્પતિ લોકો પણ પ્રાસાદ અપવરકન્યાયથી રહિત=નિગોદના ગોળા રૂપ પ્રાસાદ અને તે તે શરીર રૂપ ઓરડાના ન્યાયથી રહિત, મુત્કલચારથી=પ્રત્યેક શરીરપણાથી અહીં=પ્રસ્તુત પાડામાં=તે વનસ્પતિ નામના પાડામાં, તે અસંખ્ય લોકો વિદ્યમાન છે. તેથી તું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ આ પાડામાં રહે. તારા પૂર્વપરિચિત નગર સમાન જ આ પાટક છે=વનસ્પતિ નામનો આ પાટક છે. તેથી=તીવ્ર મોહોદયે મને તે પાટકમાં રહેવાનું કહ્યું તેથી, મારા વડે કહેવાયું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને કહે છે કે મારા વડે તીવ્ર મોહોદયને કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે, તેથી હું એક અપવરકમાં સ્થાપન કરાયો=બાદર નિગોદના અનંતા પ્રાસાદોમાંથી કોઈ એક પ્રાસાદના કોઈ એક ઓરડામાં=એક શરીર રૂપ ઓરડામાં અનંત જીવોથી સંપિંડિત સ્થાપન કરાયો, વળી, શેષ લોકોમારી સાથે અસંવ્યવહાર નગરથી નીકળીને આવેલા શેષ લોકો, મારા વિધાનથી તે જ પાટકમાં સ્થાપન કરાયા=જે રીતે હું કોઈક એક ઓરડામાં સ્થાપન કરાયો તે રીતે જ તેઓ પણ કોઈક બાદર નિગોદના કોઈ એક ઓરડામાં વનસ્પતિરૂપે તે જ પાડામાં સ્થાપન કરાયા. કેટલાક=મારી સાથે અસંવ્યવહારમાંથી નીકળેલા કેટલાક મુત્કલચારથી=પ્રત્યેક વનસ્પતિપણાથી, સ્થાપત કરાયા. વળી, કેટલાક બીજા પાડાઓમાં લઈ જવાયા=વનસ્પતિને છોડીને પૃથ્વીકાયાદિ અન્ય પાડાઓમાં લઈ જવાયા, તેથી હું ત્યાં હે ભદ્ર ! સાધારણ શરીર નામના અપવરકમાં પૂર્વોક્ત સ્થિતિથી જ સૂતેલાની જેમ, મત્તની જેમ, મૂચ્છિતની જેમ મરેલાની જેમ સંપિંડિત એવા તે અનંત લોકોની સાથે ઉચ્છ્વાસ લેતો, સાથે નિઃશ્વાસ લેતો, સાથે આહાર કરતો, સાથે વિહાર કરતો, અનંતકાળ રહ્યો. આ પ્રકારે સંસારી જીવ અગૃહીતસંકેતાને કહે છે. ૧૦૧ જે - નિગોદમાં એક શરીરમાં રહેલા બધા જીવો ઉચ્છવાસ, નિઃશ્વાસ, આહાર વગેરે સાથે જ કરે છે સાથે જ જન્મે છે, અને સાથે જ મરે છે.

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146