Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 203
________________ (૨૪) પન્યાસજી મહારાજ શ્રી ક‘ચનવિજયજી આવતાં દેવગાણા મુકામે પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરવા આવ્યા, અને પેાતાને દીક્ષા આપી. મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કરવા વિનતિ કરી. જેથી ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિરાજ શ્રી કંચનવિજયજીને દેવગાણા આવવા જણાવ્યું. ગુરૂમહારાજની આજ્ઞા થતાં તેએશ્રી પેાતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાંથી વિહાર કરી દેવગાણા આવ્યા. પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત્ ૧૯૮૨ ના ફાગણ શુદિ ત્રીજના રાજ ભાવસાર ઓઘડભાઈ હરજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી આણુ વિજયજી રાખ્યું, અને તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિરાજ શ્રી કેં'ચવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં. દીક્ષાવિધિ પૂર્ણ થતાં ગુરૂદેવની આજ્ઞા મેળવી મુનિરાજ શ્રી કંચનવિજયજી પાતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણુ વિજયજી સાથે દેવગાણાથી વિહાર કરી પાછા પાલીતાણા આવ્યા, અને અવશેષ રહેલી નવાણું યાત્રા પૂર્ણ કરી. આ વખતે દાઢ, ત્રણ, છ, અને બાર ગાઉની પણ પ્રદક્ષિણાપૂર્વક યાત્રા કરી; વળી તેઓશ્રીએ શ્રી શત્રુ જયની શીતલ છાયામાં શ્રી વર્ધમાન તપની ઓળીની શરૂઆત કરી દીધી. નવાણું યાત્રા પૂર્ણ થતાં તેમાશ્રી પાતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યાં, અને ગુરૂદેવનાં વંદન-દશન કરી પરમ આનંદ પામ્યા. ભાવનગરમાં ચૈત્રી ઓળી એક ધાનની વિધિપૂર્વક કરી. ત્યાર બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યાં સાથે ભાવનગરથી વિહાર કરી રાણપુર, ચુડા, વિગેરે ગામેામાં વિચરતા વિચરતા

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252