Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 228
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૫ ગચ્છથી=સદ્ગુરુથી અધિષ્ઠાન કરાયેલા સુસાધુઓના ગણથી નીકળેલા=બહિર્ભૂત થયેલા, ગચ્છનિર્ગતા વિચરે છે=જેવી ઇચ્છા થાય તેવી ચેષ્ટા કરતા વિચરે છે, તેઓ પ્રમાણ કરવા જોઈએ નહિ જ, એ પ્રમાણે સંબંધ છે, તુ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી સુસાધુપણાથી જોવા જોઈએ નહિ જ, એ પ્રકારનો અર્થ છે અર્થાત્ તેમને સુસાધુ તરીકે માનવા જોઈએ નહિ જ, વળી પાર્શ્વસ્થા એવા તેઓ જે કારણથી જિનવચનબાહિર છે=ભગવાનના વચનને પાર્શ્વવર્તી છે, આ આશય છે અહીં=સાધુઓમાં, સંવિગ્નઆદિ જાતિથી જ નથી=સંવિગ્નતા-સંવિગ્નપાક્ષિકતા કે સુશ્રાવકતા નથી, તો શું છે ? એથી કહે છે સંપૂર્ણ યતિધર્મને આચરનારા અને ગૃહસ્થધર્મને આચરનારા સંવિગ્ન અને સુશ્રાવક છે, કાયાથી અન્યત્ર પ્રવૃત્ત થયેલા પણ દૃઢ રીતે મોક્ષમાર્ગમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા વળી સંવિગ્નપાક્ષિક છે, આ આમનું=સુસાધુ-શ્રાવક અને સંવિગ્નપાક્ષિકનું, પ્રાતિસ્વિક= અસાધારણ લક્ષણ છે. વળી તેનાથી રહિત=થતિ આદિ ત્રણના લક્ષણથી રહિત, પાર્શ્વસ્થાદિ જ છે, તેમનું પૂર્વ અવસ્થાનું અનુષ્ઠાન અપેક્ષા કરાતું નથી અર્થાત્ પૂર્વમાં તેઓ સુસાધુ થઈને વિચરેલા તેની અપેક્ષા રાખીને શિથિલ થયા પછી તેમનો સુસાધુ આદિ ત્રણમાં અંતર્ભાવ કરાતો નથી. બીજી રીતે પ્રસ્તુત ગાથાની અવતરણિકા કરે છે = - અથવા તેવા જીવોને જ પ્રમાણ કરીને=પૂર્વમાં સુસાધુ થઈને વિચરીને પાછળથી ગચ્છથી નીકળેલા તેવા જીવોને પ્રમાણ કરીને, ગીતાર્થો વડે સૂત્રથી પ્રેરણા કરાયેલા પ્રમાદમાં વર્તતા બીજા સાધુઓ જો કહે, શું કહે તે યદ્યુતથી બતાવે છે અમે શું કરીએ ? અમારાથી મહત્તરો વડે પણ આ આચરણ કરાયેલું છે=અમે કરીએ છીએ તેવું આચરણ કરાયેલું છે, તેઓ પ્રત્યે આ કહેવાય છે ૨૧૧ - - તે જ અર્થ છે=પૂર્વમાં ગાથાનો જે અર્થ કર્યો તે જ અર્થ છે. વળી આ વિશેષ છે જેઓ જિનવચનના બાહ્મપણાથી પાર્શ્વસ્થા છે, તેઓ વિદ્વાને પ્રમાણ કરવા જોઈએ નહિ=પ્રવર્તમાન એવા કૃત્યથી ક્યારે પણ પ્રમાણ કરવા જોઈએ નહિ અર્થાત્ પૂર્વમાં સુંદર આચરણા કરીને પાછળથી પ્રમાદી આચરણા કરે પ્રવર્તમાન કૃત્યથી ક્યારેય પ્રમાણ કરવા જોઈએ નહિ, સૂત્ર જ પ્રમાણ કરવું જોઈએ, અન્યથા=સૂત્રને પ્રમાણ કરવામાં ન આવે અને તેમના કૃત્યને પ્રમાણ કરવામાં આવે તો, અર્થાપત્તિથી ભગવાનની અપ્રમાણતા પ્રાપ્ત થાય અને તે પ્રમાણે પરોપકારમાં નિપુણ એવા ભગવાન હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે - – સૂત્રની બાહ્ય આચરણામાં રત જીવો તેવા પ્રકારના લોકને પ્રમાણ કરતા=તેવી બાહ્ય આચરણા કરનારા પૂર્વના પુરુષોને પ્રમાણ કરતા, બિચારા ભુવનગુરુના અપ્રમાણપણાને જાણતા નથી. સૂત્રથી પ્રેરણા કરાયેલો જે અન્યને ઉદ્દેશીને=બીજાની આચરણાને ઉદ્દેશીને, તેને સ્વીકારતો નથી=સૂત્રની પ્રેરણાને સ્વીકારતો નથી તે તંત્રવાદથી બહાર એવો ધર્મમાં અધિકારી થતો નથી. પર૫ા ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે ભગવાન વડે સંવિગ્ન વગેરે ત્રણ મોક્ષના માર્ગો બતાવ્યા છે, પરંતુ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258