Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 326
________________ ૪ માંતામડીના આનંદને માટે શાંતિનાથનું ચૈત્ય કરાખ્યુ, ચંદ્ર જેવા ઉજવળ ગુણના સાગરરૂપ વિમળ ખાલ્યાવસ્થાથી જ વૃદ્ધિ પામી પડવાના ચંદ્રની જેમ વિશાળ કળાઓને ધારણ કરવા લાગ્યા. તેની બાલ્યાવસ્થામાં જ તેના પિતા વીરાક સ્વર્ગલેાકમાં ગયો. “બુદ્ધિમાન પુરૂષા પણ અવશ્ય પૂર્વ કર્મને ભેગવેજ છે.” તેના મૃત્યુ પામવાથી રાજાનું જે માન હતુ તે જતું રહ્યું તથા ધન પણ ક્ષય પામ્યું. અહા ! વિમળની માતા વીરમતીને દુઃખના ઉદય કેવા થયા ? કહ્યુ` છે કે-“હું જીવ ! પ્રાણીઓનુ આયુષ્ય પ્રતિદિન નાશ પામતુ જાય છે, ચૈાવન ક્ષય પામે છે, ગયેલા દિવસે ફરીથી આવતા નથી, કાળ જગતનુ ભક્ષણ કરે છે, લક્ષ્મી જળના તરંગ જેવી ચપળ છે અને જીવત વીજળીની જેવું ચંચળ છે, તેા હે જીવ ! માહના ત્યાગ કરીને તુ તારા આત્માના કાર્યનું સ્મરણ કર. . ત્યારપછી દરિદ્રતાને લીધે વિમળ પેાતાની વીરમતી માતા સાથે ગેહડીપુર નામના પુરમાં ગયા, અને ત્યાં લેાકાના વાછરડા ચારવા લાગ્યા. અનુક્રમે વિમળ તેર વર્ષના થયા ત્યારે અંબિકા દેવી કન્યાનું રૂપ ધારણ કરી તેની પરીક્ષા કરવા આવી. આરાસની નામના મેાટા તીથૅની અધિષ્ઠાયિકા અને બાળિકાના રૂપને ધારણ કરનારી તે દેવીને જોઈ તે ખાળકનું મન જરા પણ ક્ષેાલ ન પામ્યું. હું મિત્ર ! બાળકાના મનની સ્થિરતા દેવાથી પણ નિવારણ ન કરી શકાય તેવી જગતને આશ્ચય કારક હાય છે એ શુ તે નથી સાંભળ્યું ? તે દેવીએ કામરાગને વધારનારા વાણી અને હાવભાવના વિનાદવડે કુમારની પાસે અનેક પ્રકારના વિકારા પ્રગટ કર્યા; પરંતુ ખાલ્યાવસ્થા છતાં પણ તે કુમારનુ મન કામાવેશરૂપી પવનવડે જરા પણ કથુ` નહીં. તે જોઇ તેના ગુણવડ જેવી રંજિત થઇ. લેકમાં પણ ગુણાજ પૂજાય છે, અને સ્વર્ગમાં વિશેષે કરીને પૂજાય છે કારણ કે સમ્યગ્દષ્ટિ દેવા સત્ય અને સદ્દગુણના જ રાગી હોય છે. 99 ૨ માની મા.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354