________________ પાપ સંતાપ વારંવાર કર્યો હશે, કેમકે એકવાર પાપસંતાપ થઈને ધર્મલેશ્યા જાગી તે ગઈ પરંતુ હવે ધર્મલેશ્યા વધારતા જવાનું તો જ બને કે પિતાની નજર સામે અવારનવાર પોતાનું પૂર્વનું પાપી જીવન આવી આવીને એના પ્રત્યે અતિ ઘણા અને સંતાપ થયા કરે કે “અરરર! કેવું મારું પૂર્વનું ગલીચ પાપજીવન! હાય ! કેવા મારાં પૂર્વનાં ઝારા પાપ !" પાપને આ સળગતે સંતાપ થત રહતે હોય એટલે એની સામે ધર્મમાં-ધમલેશ્યામાં–ધર્મપરિણતિમાં જેમ આવે, વેગ આવે, એમાં નવાઈ નથી. દા. ત. જુઓ મેવા, મિઠાઈ, ફળ-ફરસાણ ઉડાવવાના પાપને તીવ્ર સંતાપ થાય તે પછી એના ત્યાગરૂપ આયંબિલ વગેરે તપ ધર્મની લેગ્યામાં વેગ આવે, ને એ પાપ સંતાપ ચાલુ રહે તે આયંબિલ ઓળીના પારણે પણ ધર્મ પરિણતિ એવી જામેલી હોય કે ત્યાં પારણાના દિવસોમાં પણ મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ લેવાનું મન જ ન થાય. એટલે જ આ વિચારવા જેવું છે કે જે વર્ધમાન આયંબીલ ઓળીનાં પારણાના દિવસોમાં મેવા– મિઠાઈ-ફળ-ફરસાણ સારી રીતે ને નિરાંતે લેવાનું મન થતું હોય તે આયંબિલની ઓળીઓ કરીએ તે