Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 14
________________ [ 2 ] દેવાય નહિ. અમારે આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, “સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવતોને પૂછી જેવું જોઈએ ને ત્યારબાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.’ આથી તે વખતે શ્રી શાંતાક્રઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. એ આ હકીકતને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન છે. મૂ. પૂ. સંધમાં તેમયે તપાગચ્છ શ્રી સંઘમાં વિદ્યમાન પૂ. આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ, ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ. સં. ૧૯૯૫ ના મારા લાલબાગ–જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન મને સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ. તે મેં પ્રથમ કલ્યાણ માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકેની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ થઈ રહેલ છે. –સંપાદક શાંતાક્રુઝ શ્રી સંઘ તરસ્થી લખાયેલો પ્રથમ પત્ર સવિનય લખવાનું કે, અત્રેન શ્રી સંઘ સં. ૧૯૩ ની સાલ સુધી સુપનની ઘીની બેલીના રૂા રા મણ ૧ ના લેતા હતા. અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ ના રૂા. છે તેના બદલે હવેથી મણ ૧ ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીયા રા દેવદ્રવ્યમાં લઈ જવા, અને રૂા. રા) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવાં. ઉપર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 164