Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 628
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૮ સુરસુંદરીચરિત્ર. કરીને જાજરાની અંદરહને મારવાઆવ્યું, તે સમયે ભાલાઓથી હણાયેલે તે ભયને લીધે વિઝાના ખાડામાં પડી ગયો, વિષ્કાના કીડાની માફક તેતેમાં ઘણે વખત રહ્યો. પછી કઈક સમયે આ શુદ્ધિને સાફ કરનાર પુરૂષાએ હેનું દ્વાર જ્યારે ખુલ્લકર્યું ત્યારે ત્યાંથી રાત્રીના સમયે નીકળીને હેરાજન?હારાભયથી તેબહાર નાશી ગયે. પાયાના ઉદયવસે અનુચિત આહાર કરવાથી હેને કુષ્ઠરેગ થયેલ છે. અને તેના દુ:ખથી પીડાયેલો તે હાલમાં બહુ દુ:ખી થઈ ફર્યા કરે છે. એપ્રમાણે સૂરીંદ્રનું વચન સાંભળી, વૈરાગ્યભાવથી ઉત્પ ન્ન થયો છેવિરતિને પરિણામ જેને એવો મકરકેતુને મકરકેતુરાજા સુરસુંદરીનાદ્રિતીયપુત્ર વૈરાગ્ય. અનંગકેતુને રાજ્યાસને સ્થાપન કરી પોતે ગૃહકાર્યમાંથી નિવૃત્ત થયો. બાદ તેણે શ્રીજીનેંદ્રભગવાનની પૂજા કરી. વિવિધ પ્રકારનાં દીનાદિકને દાન આપ્યાં. વસ્ત્રાદિકવડે મુનિ સંઘની ભક્તિકરી. પછી તીવ્ર સંવેગધારી એવા ભૂપતિએ બહુ વિદ્યાધરે સહિત શુભલગ્નમાં ચિત્રવેગસૂરિના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. સુરસુંદરીએપણ વૈરથી ઉત્પન્નથયેલું દારૂણદુ:ખ સાંભળીને કનકમાલા ગુરૂણની પાસે દીક્ષાવ્રત લીધું. એ પ્રમાણે વ્રતની સિદ્ધિવડે ત્રણે પૂર્વભવની બહેને અહીં એકઠી થઈ. તેમજ તેમના પૂર્વભવના સ્વામી એવા તે ત્રણે મિત્રોને પણ મેળાપથ. મુનિશ્રીચિત્રગતિ વાચક (ઉપાધ્યાય)ની પાસે મકરકેતુ મુનિ અંગ તથા અન્ય સૂત્રનો અભ્યાસ મકરકેતુમુનિ. કરવા લાગ્યા. અનુક્રમે પિતાના ગુરૂશ્રી ચિત્રવેગ આચાર્યની પાસે મૂલ અર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635