Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 853
________________ શારદા દર્શન માટે ગયા. ગુરૂદેવની પ્રશાંત અને પવિત્ર મુખમુદ્રા જોઈને એકરની મિથ્યાત્વમી નિબિડ ગાંડ ઓગળી ગઈ, અને ગુરૂદેવની પાસે ધર્મશ્રવણ કરીને તરત તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને દાન, શીયળ, તપ, ભાવનામાં આગળ વધ્યો. પર્યુષણ આવતા જતાક પલ્લીપતિએ ઉપવાસ કર્યો. અને તબિયત બગડી. તરત ચાર શરણાં અંગીકાર કરી સમાધિ મરણે મરી જયતાક એક રાજકુમાર બન્યા. તે કોણ હતા ? અઢાર દેશના અધિપતિ કુમારપાલ રાજા. વધુ ભાવ અવસરે. ચરિત્ર - પાંડેને ઓળખાણ આપતે દિવ્ય પુરૂષ - હું સૌધર્મ દેવલોકના ઈન્દ્રને પ્રિય ધર્મવતંસક નામને દેવ છું. તમે સાત ઉપવાસ કરીને નવકાર મંત્રનું સ્મરણ કરવામાં સ્થિર બન્યા ત્યારે મારો ઉપયોગ અહી આવે. તેથી મારા અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે આપના ઉપર કૃત્યા રાક્ષસીને ઉપસર્ગ આવવાને છે. તે ઉપસી દૂર કરી આપને કષ્ટમાંથી મુક્ત કરવા માટે હું અહીં આવ્યું. મેં જ સૈન્ય બનાવ્યું અને દ્રૌપદીને લઈને હું જ ભાગી ગયે. સરેવરનું પાણી મેં ઝેરમય બનાવી દીધું. અને તમને બધાને ખૂબ તૃષાતુર બનાવ્યા. તમારા ભાઈઓ તમારા માટે પાણી લેવા ગયા ને તેઓ ખૂબ તરસ્યા રહેવાથી સરોવરનું ઝેરમય પાણી પીને બેભાન થઈ ગયા. પછી જે ભીલ આવ્યો અને દ્રૌપદી તથા કુંતાજને અહી લાવ્યો તે પણ હું જ હતું. આ બધી મારી માયા છે. કૃત્યો રાક્ષસી તમને મારવા માટે આવી હતી. તેને પણ મેં કહ્યું, કે આ મરેલાને શું ખાય છે? તને દુષ્ટ સુચને દગો કરીને અહીં મોકલી છે. એટલે તે સુરોચન બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈને ત્યાં ગઈને તેને મારીને યમપુરીમાં પહોંચાડી દીધું. હે પાંડવો ! તમે જંગલમાં બાર બાર વર્ષ સુધી ખૂબ કષ્ટો વેઠયાં પણ ધર્મ ન છોડે. તમારા ધર્મની શ્રધ્ધાના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તમને સહાય કરવા માટે આવ્યો ને તમારું દુઃખ દૂર કર્યું. હવે તમારા પાપકર્મો પૂરા થવા આવ્યા છે. ચેડા બાકી છે પણ ગભરાવાની જરૂર નથી. તમે નિર્ભયપણે આનંદથી રહેજે અને જયારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. તે હું અદશ્ય રહીને તમને સહાય કરીશ. પાંડ પણ પિતાના સહાયક દેવના ચરણમાં પડયા ને દેવ તેમને આશીવાદ આપીને ચાલ્યા ગ. સૂર્યનારાયણ પણ અસ્ત.ચલ ઉપર ચાલ્યા ગયા. પછી પાંડવે વિચાર કરવા લાગ્યા કે અહે! દુર્યોધનને આપણે બચાવ્યા છતાં તેણે દુષ્ટતા ન છેડી, પણ આપણને ધર્મ બચાવી લે છે. અનેક પ્રકારની ધર્મની વાત કરીને રાત્રી પસાર કરી. સવાર પડતાં પારણું કરતાં બધાએ ભાવના ભાવી કે કોઈ સંત સતીજી મળી જાય તે તેમને વહરાવીને પારણું કરીએ. ત્યાં મા ખમણના તપસ્વી પધાર્યા. ખૂબ હર્ષથી આનંદભેર ગૌચરી વહેરાવી અને બોલ્યા-ગુરૂદેવ! આજે અમારું જીવન ધન્ય બન્યું છે. તે વખતે દેવેએ આકાશમાં દુર્દશીના નાદ ગજાવ્યાં ને પાંડવોને જ્ય હે...વિજય હે એમ વિજયનાદ બેલાવી પંચ દિવ્યની વૃષ્ટિ કરી.

Loading...

Page Navigation
1 ... 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952