Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 448
________________ sablola bloc de masası səfzie boererate સં. ક્રોધની પ્રથમ સ્થિતિ એ આવલિકા શેષ હોય ત્યારે આગાલ વિચ્છેદ થાય છે અને એક આવલિકા બાકી હોય ત્યારે બંધ અને ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. તે વખતે અપ્રત્યા-પ્રત્યા ક્રોધનો ઉપશમ પૂર્ણ થાય છે. સં. ક્રોધની પ્રથમ સ્થિતિ એક આવલિકા અને સમયનૂન બે આવલિકામાં બંધાયેલા દલિક સિવાયનું સં. ક્રોધનું દલિક પણ ઉપશમ થઈ જાય છે. ૩૧) જ્યારથી સં. ક્રોધનો બંધ ઉદય ઉદીરણા વિચ્છેદ થાય છે. ત્યારથી સં. માનની બીજી સ્થિતિમાંથી દલિયા આકર્ષીને પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે અને વેદે છે તે વેદતો છતો અપ્ર. પ્રત્યા. અને સંજવલન માનને ઉપશમાવવાનું કાર્ય પણ શરૂ કરે છે. સાથે સાથે સં. ક્રોધની બીજી સ્થિતિમાં સમયપૂન બે આવલિકામાં નવું બંધાયેલ દલિક નહી ઉપશમાવેલ છે તેને તેટલા કાળે ઉપશમાવે છે. અને સં. ક્રોધની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા બાકી છે તેનો સિબુક સંક્રમ વડે સં. માનમાં સંક્રમાવી નાશ કરે છે. ૩૨) સં. માનને વેદતો છતો પ્રથમ સ્થિતિ સમયનૂન ત્રણ આવલિકા બાકી રહેતે છતે અપ્રત્યા, પ્રત્યા. માનના દલિયા સં. માનમાં ન નાખે એટલે કે સં. માન બંધ હોવા છતાં. અપગ્રહ થાય, તેથી સં. માયાદિમાં નાખે. બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. અને એક આવલિકા બાકી હોય ત્યારે બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અપ્રત્યા. પ્રત્યા. માન સંપૂર્ણ ઉપશમ થાય છે. સંજવલન માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમયગૂન બે આવલિકામાં બંધાયેલ દલિયું બાકી છે. બાકીનું સં. માનનું પણ બધુ દલિથું ઉપશમી જાય છે. ૩૩) જ્યારથી સં. મનના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થયા ત્યારથી સં. માયાની ઉપરની (બીજ) સ્થિતિમાંથી દલિયા આકર્થી પ્રથમ સ્થિતિ કરે અને અંતર્મુહૂર્ત સુધી વેદે છે. તે વેદતો છતો ત્રણ માયાને ઉપશમાવવાનું પણ કરે છે અને સાથે સાથે સમયગૂન બે આવલિકામાં નવું બંધાયેલ સં. માનનું દલિયું જ નહીં ઉપશમેલ છે તેને પણ ઉપશમાવે છે અને સં. માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા છે. તેને સં. માયામાં સિબુક સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે છે. ૩૪) સં. માયાને વેદતો છતો પ્રથમ સ્થિતિ સમયપૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યા. પ્રત્યા. માયાના દલિયા સં. માયામાં ન નાખતાં સં. લોભમાં નાખે છે. બે આવલિકા શેષ રહે છતે આગાલ વિચ્છેદ થાય છે અને એક આવલિકા શેષ રહે ત્યારે સં. માયાના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. અપ્રત્યા. પ્રત્યા. માયા ઉપશમ પામે છે ૪૪૩

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466