Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 512
________________ ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૪૯૧ દરેક આત્મા પોતાના સ્વભાવને પામે, એ જ એ તારકની ઇચ્છા ! પોતે પોતાના આત્માનો સ્વભાવ જોયો, જાણ્યો, અનુભવ્યો અને પ્રગટ કર્યો. એ જ રીતે જગતના જીવોને પણ તેમ કરવા એ તાકે આહ્વાન કર્યું. એ તારકે શાસન સ્થાપીને આ કામ જ કર્યું છે. શાસન સ્થાપીને શ્રી જિનેશ્વરદેવ તો એમ જ કહે છે કે, ‘રાગ, દ્વેષ વગેરે આત્માનું સ્વરૂપ નથી; ‘આ મારું - આ તારું' આ ભાવના આત્મસ્વરૂપ નથી; અત્યારે આત્મા જ્યાં ફસાયો છે તે આત્માનું સ્થાન નથી.' તો હવે વિચારો કે, પરમ તારક શ્રી જિનેશ્વરદેવનું શાસન પામીને કરવાનું શું ? એ જ કે, દબાઈ ગયેલા આત્મસ્વરૂપને ખુલ્લું ક૨વું. આમાં વાંધો કોને હોય ? કોઈ આત્માનું સ્વરૂપ ચાર દિવસે ખીલે, તો કોઈ આત્માનું સ્વરૂપ ચારસો દિવસે ખીલે, પણ પુરુષાર્થની ખામીના કારણે જેનું ચારસો દિવસે ખીલે એનો વિરોધ કેમ જ થાય ? કોઈ આત્મા પોતાનું સ્વરૂપ પોતે ખીલવે ત્યાં વાંધો શો ? કહેવું જ પડશે.કે, કશો જ નહિ ! 491 આથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંતોનો વિરોધ કરવામાં ક્ષણવાર પણ ટકી શકવાની વિરોધીઓની તાકાત નથી. એ સિદ્ધાંતોનો જ એ પ્રભાવ છે કે, એમાંની વસ્તુને લીધા વિના વિરોધીઓથી પણ આગળ ચલાતું નથી; આથી જ કહું છું કે, સ્વાભાવિક વસ્તુમાં શંકા ચાલે જ નહિ પણ જેને ‘ઉંડું’ કહેવાની ટેવ હોય, તેને માટે તો કોઈ ઉપાય જ નથી. વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા ! સભા પણ રામવિજયજીને માને તો ? કશો જ વાંધો નહિ. આ શાસને કેવળ વ્યક્તિપૂજા વિહિત કરી જ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો ગુણવિશિષ્ટ વ્યક્તિપૂજા છે અને તે ગુણ પણ જે તે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલા સમ્યગ્દર્શનાદિકને અનુકૂળ હોય એવા જ ! બીજું ચૌદ પૂર્વના સારભૂત શ્રી નવકારમંત્રમાં પણ ‘શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન અને શ્રી સાધુ ભગવાન : આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એમાં ક્યાં કોઈ વ્યક્તિનું નામનિશાન છે ! એટલે સૌને માટે તે પૂજ્ય છે કે, જે અરિહંતપણું, સિદ્ધપણું, આચાર્યપણું, ઉપાધ્યાયપણું અથવા તો સાધુપણું હોય ! શ્રી અરિહંતપણાદિકનો જે પૂજારી હોય, તેને જેના જેનામાં પાંચમાંથી એક પણ હોય તેનો વિરોધ હોય જ શાનો ? આથી તમે સમજી શકશો કે, વ્યક્તિવિરોધી જેવી વસ્તુ શ્રી જૈનશાસનમાં સંભવી જ શકતી નથી. એટલે આજે જેઓ વ્યક્તિના નામે વસ્તુનો વિરોધ

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598