Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ સંબોધ પ્રકરણ પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ‘જ’ ગણ (ડ્રસ્વ-દીર્ઘ-Çસ્વ) કે ચાર લઘુ અક્ષરવાળો ગણ આવવો જોઇએ. ઉત્તરાર્ધમાં છઠ્ઠો ગણ એક જ માત્રાનો કે ચાર લઘુ અક્ષરવાળો હોવો જોઇએ. અહીં જણાવેલી આ ગ્રંથની પહેલી ગાથામાં પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ‘સનાહ’ એમ ‘જ’ ગણ છે. ઉત્તરાર્ધમાં દ્દિ એમ એક જ માત્રાનો છઠ્ઠો ગણ છે. जं पुण अब्भासरसा, सुयं विणा कुण फलनिरासंसो । તમસંશાનુકાળ વિળેય બિળવંૌતૢિ ॥ ૨૪૦ ૫ (દેવાધિકાર) આ ગાથામાં પૂર્વાર્ધમાં છઠ્ઠો ગણ ચાર લઘુ અક્ષરવાળો છે. આ ગ્રંથની દશમી ગાથા આ પ્રમાણે છે— चउकारणपरिजुयं सव्वं कज्जं समुप्पए पायं । तम्मिय पढम सुद्धे, सव्वाणि तयणुसाराणि ॥ આ ગાથામાં ઉત્તરાર્ધમાં છઠ્ઠો ગણ ચાર લઘુ અક્ષરવાળો છે. હ્રસ્વ અક્ષરની એક માત્રા અને દીર્ઘ અક્ષરની બે માત્રા ગણાય છે. તથા હ્રસ્વ અક્ષરની પછી વિસર્ગ, અનુસ્વાર કે અક્ષરસંયોગ હોય તો હ્રસ્વ અક્ષરની પણ બે માત્રા ગણાય. જેમ કે લેવઃ, અહીં વ પછી વિસર્ગ હોવાથી વની બે માત્રા ગણાય. વતં અહીં હ્રસ્વ ની પછી અક્ષરસંયોગ હોવાથી ની બે માત્રા ગણાય. પૂર્વાર્ધનો અને ઉત્તરાર્ધનો છેલ્લો અક્ષર એક માત્રાનો હોય તો પણ અપવાદથી બે માત્રાનો ગણાય. જેમ કે– चेsयदव्वं साहारणं च भक्खे विमूढमणसा वि । परिभम तिरियजोणीसु अण्णाणत्तं सया लहइ ॥ १०३ ॥ (દેવાધિકાર) આ ગાથામાં પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં પણ છેલ્લો હ્રસ્વ હોવાથી એક માત્રાનો હોવા છતાં બે માત્રાનો ગણાય. સામાન્યથી એક ગણમાં પૂર્વે કહ્યું તેમ ચાર માત્રા હોય. પણ ક્યારેક પાંચમાત્રા પણ હોય. પ્રસ્તુત ગ્રંથમાં અનેક સ્થળે પાંચ માત્રાવાળો ગણ જોવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 290