Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 541
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪ ૫૨૭ વ્યવહાર હો એ તો જણાવવા માટે હો, પણ એ તો જાણવાની પર્યાય જે સ્વને આશ્રયે પ્રગટ થઈ એ જાણવાની પર્યાયમાં સ્વપરપ્રકાશપણું પોતાથી પ્રગટ થાય છે, એમાં એ રાગાદિ હોય એ જાણે, પણ એ કોઈ ચીજ આદરણીય છે કે એનાથી આ પર્યાય પ્રગટી છે એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? એ કહે છે, કે જે જિન ભગવાનનું વચન એટલે કે જિન ભગવાનનુ વચનમાં જિનસ્વરૂપ છે તે આદરણીય છે એમ બતાવ્યું. જિનવચનમાં જે વસ્તુ ત્રિકાળ છે, કેમ? કે એને આદરણીય બતાવ્યું એમાં બેય આવી ગયા એક તો ત્રિકાળી વસ્તુ આવી અને આદર કરવો એ પર્યાય પણ આવી ગઈ. આહાહા! પણ એ જેને આદર કરવો છે, એ જિનસ્વરૂપ એ વીતરાગ સ્વરૂપ છે. આહાહા! એથી એમાં પર્યાયમાં પણ વીતરાગતા જ પ્રગટ થાય. આ જૈન ધર્મનું અનાદિ સ્વરૂપ- રૂપ છે. એમાં આડું અવળું કાંઈ કરવા જાય તો એ જૈનધર્મ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? એ પર્યાય જે છે ને નહોતી તે પ્રગટી, વસ્તુ તો છે ત્રિકાળ, મુક્ત સ્વરૂપ જ છે. આવે છે. ને મુક્ત એવ વસ્તુ મુક્ત કહો, સિદ્ધ સ્વરૂપ કહો, નિર્વાણ સ્વરૂપ કહો, મોક્ષ સ્વરૂપ કહો; વીતરાગ સ્વરૂપ કહો, પરમાનંદની શક્તિનો સાગર એકલો કહો. આહાહા ! એવો જે ભગવાન આત્મા એ જિનસ્વરૂપે છે. આહાહાહા ! ગજબ વાત કરે છે. એની ભાષા વીતરાગ તો જુઓ, આહા ! એની વાણીમાં જિનવચનમાં રમવું એટલે કાંઈ વાણીમાં રમવું નથી. શબ્દ તો એ આંહી છે. “જિનવચંસિ રમંત” પણ જિનવચનમાં જિનસ્વરૂપ જે છે ભગવાન આત્મા તે આદરણીય છે, ઉપાદેય છે એમ જિનવચનમાં કહ્યું છે. એમાં રાગાદિ આવે એ આદરણીય છે, નિમિત્ત આદરણીય છે એમ જિનવચનમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? તેમ એના વસ્તુના સ્વરૂપમાં નથી. જિનવચન કહે છે એ કાંઈ અમથું કહે છે? વસ્તુ સ્વરૂપ જ એવું છે કે વીતરાગમૂર્તિ પોતે પરની કોઈ અપેક્ષા વિના એ ચીજ અનાદિ અનંત શાશ્વત છે. એની અપેક્ષા કરીને જે કાંઈ પર્યાય પ્રગટ થાય એને ભલે આની અપેક્ષા ગણો દ્રવ્યની પણ પરની કોઈ અપેક્ષા જ નથી એને. આહાહાહાહા ! વસ્તુ તો આ છે સમજાણું કાંઈ ? આહાહાહા ! જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, વાડો નથી, કે ભાઈ અમે જૈન છીએ અને તમે અન્ય છો ને. આહાહાહા ! જૈન સ્વરૂપી ભગવાન છે, તેને ઉપાદેય તરીકે જાણીને પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરવી, આહાહા ! એ જૈનધર્મ! જિનસ્વરૂપ વસ્તુ! આમાં ક્યાંય મળે એવું નથી ત્યાં દવાખાના ને દાકતરને. આહાહા! વસ્તુ તો જુઓ. આહાહા ! ભગવાન “જિન સોહિયે આત્મા, અન્ય સોહિયે કર્મ, કર્મ કટે જિનવચનસે' એમ શ્રીમદ્દે કહ્યું. વચનસો શબ્દ નામ ભાવ, જે સ્વરૂપ છે જૈન વીતરાગ અકષાય સ્વરૂપની મુર્તિ પ્રભુ છે. એને... આશ્રયે વીતરાગતા થાય, તે વીતરાગતા કર્મનો નાશ કરે, એ પણ વ્યવહાર છે. નાશ કરે છે એ. આહાહાહા ! સમજાણું કાંઈ? ( શ્રોતા:કઠણ કહો અને પછી પૂછો કે સમજાણું કાંઈ ) પણ હળવે હળવે તો કહીએ છીએ આમાં કાંઈ પણ વસ્તુ જ આવી છે ત્યાં બીજું શું? આહાહા ! જિનબિંબ છે આત્મા. ઓલામાં આવે છે ને ભાઈ ! જિનબિંબનાં દર્શનથી નિસ્બત અને નિકાચીત કર્મ ટળે બાપુ! આહાહા ! (ધવલમાં) ધવલમાં આહાહા! એ તો નિમિત્તનું કથન છે. જિનબિંબ આત્મા પ્રભુ છે! ભાઈ ! આત્મા શું છે, એ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558