Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 117
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ ] [ સમ્યજ્ઞાન દીપિકા નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ છે તે પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનથી તન્મયરૂપ છે તેને તો સ્વાંગ માનતો નથી –સમજતો નથી પરંતુ જે સ્વસ્વભાવ સમ્યગ્નાનથી તન્મયરૂપ નથી તે બધાયને જ સ્વાંગ જાણે છે–માને છે. જેમ ઘ૨ને અગ્નિ લાગે તે પહેલાં કૂવો ખોદવો યોગ્ય છે તે જ પ્રમાણે આ દેહ ઝૂંપડીને કાળઅગ્નિ લાગે તે પહેલાં શ્રી સદ્દગુરુવચનોપદેશ દ્વારા આ દેઝોંપડીની અંદર, બહાર અને મધ્યમાં નિરંતર સ્વસમ્યગ્નાનાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવવસ્તુ છે તેને તન્મયરૂપ સમજી લેવી-માની લેવી યોગ્ય છે. જેમ ચકવો-ચકવી સંધ્યાકાળે-રાત્રિસમયે અલગ અલગ થઈ જાય છે ત્યાં તેમને દ્વેષભાવથી કોણ અલગ અલગ કરે છે? તથા પ્રાતઃકાળ-સૂર્યોદય થતાં તે ચકવો-ચકવી પરસ્પર મળે છે ત્યાં તેમને કોણ પ્રીતિરાગભાવથી મેળાપ કરાવે છે? એવી જ રીતે જીવ અને અજીવને કોણે પ્રીતિ-રાગભાવથી મેળાપ કરાવ્યો છે? તથા દ્વેષભાવથી અલગ અલગ પણ કોણ કરે છે? જેમ સોનાના અનેક ભેદ–અલંકાર છે, એ અનેક ભેદઅલંકારને ગળાવી દઈએ તો એક માત્ર સુવર્ણ જ છે, તે જ પ્રમાણે એક સ્વયંસિદ્ધ સ્વસમ્યજ્ઞાન છે, તેના ભેદ કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન ઇત્યાદિ ભેદ છે તેને ગળાવી દઈએ તો એક માત્ર સ્વયંસિદ્ધ સ્વસમ્યજ્ઞાન જ છે. જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર ક્યાં છે? અને સૂર્યને કાઢી લઈએ તો પ્રતિબિંબ ક્યાં છે? તથા આત્મજ્ઞાની આ જગત-સંસાર મૃગજળવત્ છે પણ સૂર્ય ન હોય તો મૃગજળ ક્યાં છે? એ પ્રમાણે ગુરુઉપદેશદ્વારા પોતાને પોતામાં પોતામય પોતાથી ખેંચી લીધા પછી આકાર ક્યાં છે? એ પ્રમાણે આ જગતસંસાર છે તે ભ્રમ છે, એ ભ્રમ ઉડી ગયો તો જગતસંસાર ક્યાં છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153