________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૩૧ अन्तरात्मा आत्मन्यात्मबुद्धि कुर्वाणोऽलब्धलाभात्संतुष्ट आत्मीयां बहिरात्मावस्थामनुस्मृत्य विषादं कुर्वन्नाह -
मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् ।
तान् प्रपद्याऽहमिति मां पुरा वेद न तत्त्वतः ।। १६ ।। टीका- मत्त आत्मस्वरूपात्। च्युत्वा व्यावृत्य। अहं पतितः अत्यासक्त्या प्रवृत्तः। क्व ? विषयेषु। कैः कृत्वा ? इन्द्रियद्वारैः इन्द्रियमुखैः। ततस्तान् विषयान् प्रपद्य ममोपकारका एते इत्यतिगृह्यानुसृत्य। मां आत्मानं। न वेद न ज्ञातवान् कथं ? अहमित्युल्लेखेन अहमेवाहं न शरीरादिकमित्येवं तत्त्वतो न ज्ञातवानित्यर्थः। कदा ? पुरा पूर्वं अनादिकाले।।१६।। શરીરની અવસ્થાના કારણરૂપ નથી, છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. "
પોતાનો સ્વભાવ તો દષ્ટા-જ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળો જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખું-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે અને તેથી રાગી-દ્વેષી થાય છે. કોઈના સદ્દભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે, પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે; માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે.
વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી, પણ જેમ ચાલતા ગાડાને ધકેલી બાળક એમ માને કે, “ આ ગાડાને હું ચલાવું છું”—એ પ્રમાણે તે અસત્ય માને છે......
માટે શરીરાદિ મારાં છે અને તેની ક્રિયા હું કરી શકું છું એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાનચેતના છે. તેનો ત્યાગ કરી “આત્મા એ જ મારો છે –એવી આત્મામાં આત્મબુદ્ધિરૂપ જ્ઞાયકસ્વભાવનું અવલંબન કરી અંતરાત્મા થવા, આચાર્ય અજ્ઞાની જીવને ઉપદેશ કર્યો છે. ૧૫.
અંતરાત્મા આત્મામાં આત્મબુદ્ધિ કરતો, અલબ્ધ (પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા એવા) લાભથી સંતોષ પામી, પોતાની બહિરાભાવસ્થાનું સ્મરણ કરીને વિષાદ (ખેદ) કરે છે. તે કહે છે :
શ્લોક ૧૬ અન્વયાર્થ : (ગદં) હું (પુર) અનાદિકાલથી (મત્ત ) આત્મસ્વરૂપથી (ભુત્વા) ટ્યુત થઈને
૨.
મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ - પૃ. ૯૪-૯૫ કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. (શ્રી સમયસાર - ગુ. આવૃત્તિ, ગાથા ૩૭૨) મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ-પૃ. ૯૨
Please inform us of any errors on [email protected]
૩.