Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 592
________________ જેમ વાદળાએ ખસી જતા સૂર્ય પૂર્ણ તેજવીરૂપે પ્રકાશમાન દેખાય છે. સુર્વમાં તેજસ્વીપણું એનું મુળભુત છે. એ કંઈ બહારથી નથી આવતું. વાદળાનું આવરણ હતું અને તે ખસી ગયું એટલે સ્વચ્છ દેખાવા માંડયું. એ જ પ્રમાણે આત્મામાં ગુણે બહારથી નથી આવ્યા પહેલેથી જ મુળભુત પડેલા જ છે. તે સર્વે ગુણો તેના ઉપરના સર્વે આવરણે (ક) નષ્ટ થવાથી પૂર્ણ પણે સ્વચ્છ સ્વરૂપે પ્રગટ થયા છે. તેને પાદુર્ભાવ થયો છે. એ અષ્ટગુણયુકત પૂર્ણ જ્ઞાનાદિ ગુણવાન નિરાવરણ આત્મા તે જ મુકતાત્મા સિધ્ધાત્મા કહેવાય છે. સિદ્ધાત્મા એ પરમાત્મા થયા ત્યારે આપણે હજી પામરાત્મા જ રહયા. આપણું પામર પણ એક દિવસ દુર થઈ જશે ત્યારે આપણે પણ પામરમાંથી પરમ બની જશું. પામરમાંથી પરમ બનવાને પરમાત્માએ ચીસ પેલે માર્ગ જ ધર્મ છે. જે માગે ચાલીને એ પોતે પરમાત્મા બન્યા છે તે જ ધર્મમાર્ગ આપશુને બતાવ્યું છે. પામરમાંથી પરમ બનવાની પ્રક્રિયા બતાવી છે. માટે એ જ મા આપણે ચાલીશું ત્યારે એક દિવસ આપણે પણ પરમ, સિદ્ધ, બુદ્ધ, મુકત બની શકીશું. ફકત જેને જ મોક્ષ પામી શકે અને બીજા નહી ? ના એવું કંઈ નથી. રસ્તો કેઈને વ્યકિતગત નથી. જે ચાલે એને છે. નિસરણી–પગથીયા જે ચઢશે તે પહોંચશે. એવી મોક્ષની નિસરણી છે. મેક્ષ સુધી પહોંચવાની ૧૪ ગુણસ્થાનકની નિસરણી છે. ૧૦૫

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604