Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 48
________________ થીએસથીકલ સાયટી ઉદ્દેશે:૧. કોર્મ, ધર્મ, જાતિ, વર્ણ અને રગનો ભેદ રાખ્યા સિવાય મનુષ્ય જાતિના વિશ્વબંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું. ૨. સરખામણીની દષ્ટિએ ધર્મોના અભ્યાસ, તત્ત્વવિદ્યાના અભ્યાસ અને વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસને ઉત્તેજન આપવું. ૩. કુદરતના નહિ સમજાયેલ નિયમાની શોધ કરવી અને મનુષ્યમાં રહેતી આધ્યાત્મિક શક્તિઓને વિકસાવવી. સત્ય એ જ સૌથી પરમ ધર્મ છે', એ આ સંસાયટીને મુદ્રાલેખ છે. ઉપરના ત્રણ દેશની સાથે સહાનુભૂતિ દર્શાવવાથી અને માત્ર વિશ્વબધુત્વનો પહેલો ઉદેશ જ સ્વીકારવાથી થીઓસેટીકલ સોસાયટીના સભાસદ થઈ શકાય છે. આ સોસાયટીમાં દાખલ થવા માટે પોતાનો ધર્મ છોડવો પડતો નથી. તેમ જ નવો ગ્રહણ કરવા માટે કહેવામાં આવતું નથી, પણ નીઓસોફીના સંસર્ગથી મનુષ્ય પોતાનો ધર્મ સારી રીતે સમજે છે. સેવા દ્વારા સહાય કરવા ઉત્સુક એવા શખ્સને માટે આ સોસાયટીના સભાસદ થવા દ્વાર ખુલ્લા છે. વિચારસ્વાતંત્ર્યને આ સંસાયટીમાં મહત્વનું સ્થાન • છે. કોઈની માન્યતા કે વિચાર પર દબાણું મૂક્વામાં આવતું નથી. દરેક વ્યક્તિ, તેને જેમ સારું લાગે તેમ વતી શકે છે. અત્રે નાસ્તિક અને આસ્તિક બંનેને માટે સ્થાન છે. માત્ર તે વિશ્વબંધુત્વમાં ફરજીઆત માન્યતા ધરાવે એટલું જ બસ છે. માત્ર સત્ય માટે શોધ સાથે જ સેસાયટીને સંબંધ છે અને વ્યક્તિ પોતાની રીતે શોધ કરવાને સ્વતંત્ર છે. આ સાયટી દુનિયાના જુદા જુદા ૪૪ દેશમાં પ્રસરેલી છે. હિંદના દરેક પ્રાંતમાં તેની શાખા છે. આંતરરાષ્ટ્રિય મહામંથક (હેડકૉર્ટર) અધાર-મદ્રાસ છે. હિંદનું હેડકવૅર બનારસમાં છે. ગુજરાત કાઠિયાવાડના ઘણા શહેર અને ગામડાઓમાં તેની શાખા છે અને તેનું મુખ્ય મથક ભાવનગરમાં છે. વધુ માટે લાખો યા મળે – કૃષ્ણનગર, વૅટ નં. ૧૮૫૭ હરિલાલ લલુભાઈ ઠાકર ભાવનગર. સહમંત્રી, ગુ. કા. થી. ફેડરેશન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50