Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રવેશ જ છે. પ્રત્યેક મનુષ્યને ધર્મની જરૂર છે અને આજે તમે રાજનગર કે બીજા કોઈ સ્થળે જઇને પૂછો કે અહીં અધમી કઈ છે ? તે કઈ જ હા નહિ કહે. એ જ વસ્તુ બતાવે છે કે પ્રત્યેક મનુષ્ય ધર્મને તે ચાહે જ છે પરંતુ ધર્મ એટલે શું? દરેક મનુષ્ય પોતાની જાતને પૂછે કે હું ધર્મ કયાં સુધી કરું છું ? આત્મિક ધર્મ કેટલે પાળું છું ? મને લાગે છે કે જગતમાં આજે જે કાંઈ ધર્મો પળાઈ રહ્યા છે તે મોટે ભાગે ધર્મ નથી પણ કેવળ રૂઢિને ચીલા છે. હું તે ધર્મ તેને જ કહું છું કે જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, કષાયમાંથી નિવૃત્તિ થાય. મંદિરમાં તમે કલાકે સુધી પૂજા કરે ને લાંબા રાગે સ્તવન ગાવ, પણ બહાર આવીને કોઈને ઊભા ને ઊભા ચીરવા લાગે તે તમારા એ ધર્મ માટે કોને શું ખ્યાલ આવશે વાણિયાઓના કુળમાં તમે જમ્યા અને તમારા બાપદાદા સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, ઉત્સવ, વરઘોડા ઇત્યાદિ કરતા હતા; એટલે તમે પણ કરે છે. એ જ રીતે બ્રાહ્મણના કુળમાં જન્મેલા બ્રાહ્મણના ક્રિયાકાંડ કરે છે. આ બધા રૂઢિધર્મ નહિ તે બીજું શું છે? આ વસ્તુ હું શા માટે કરું છું એનો ખ્યાલ કેટલાને છે ? આ તે “પી છેસે ચલી આતી હૈ” વાળો ઘાટ છે. એક મજીદમાં ૫૦ મુસલમાનો નમાજ પઢતા હતા. તેમાં એકને હાથ બીજાને લાગે એટલે બીજાએ ત્રીજાને માર્યો ને ત્રીજાએ ચોથાને માર્યો. એટલે એ તે ચાલ્યું. પછી કોઈ ડાહ્યાએ પૂછ્યું કે ભાઈ આમ કરવાનું કહ્યું કોણે ? એટલે પાછું ચાલ્યું. મૂળ માણસ પાસે આવ્યું તે એણે જવાબ દીધું કે “મારે તો જરા હાથ હાલી ગયો હતો એમાં આટલી ગડબડ તમે શાની કરી ” આજ મુજબ આપણે બધા ધર્મોની સ્થિતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org