Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 66
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ આશય એ છે કે જીવનો દેહ આદિ બાહ્ય પદાર્થોના સંબંધરૂપ ભવ છે; અને તે બાહ્ય પદાર્થોના સંબંધરૂપ ભવમાં સંસારી જીવોને રાગ વર્તે છે, તે ભવનો અભિળંગ છે. જ્યારે મુક્ત આત્માઓને તો દેહ આદિ સાથે સંબંધનો અભાવ છે, અને દેહ આદિના સંબંધ પ્રત્યે રાગનો પણ અભાવ છે. તેથી મુક્ત આત્માને ભવ પ્રત્યેના રાગના અભાવના કારણે કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ નથી, અને કર્મબંધના અભાવને કારણે ચારગતિની વિડંબનારૂપ અનિષ્ટની પ્રાપ્તિ પણ નથી. તેથી મોક્ષ અનિષ્ટ અનુબંધી નથી=અનિષ્ટ ફળવાળો નથી, આમ છતાં બાધ ન પામે તેવા મિથ્યાજ્ઞાનને કારણે કેટલાક જીવોને ભોગરહિત એવા મોક્ષમાં અનિષ્ટ અનુબંધીપણાથી અનિષ્ટનો બોધ થાય છે અર્થાત્ મોક્ષમાં ઇષ્ટ એવા ભોગોનો અભાવ હોવાથી મોક્ષ અનિષ્ટ ફળવાળો છે, તેવો વિપરીત બોધ થાય છે. તેથી તેવા જીવોને મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. રિલા અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે દઢ અજ્ઞાનને કારણે કેટલાક જીવોને મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થવાથી દ્વેષ થાય છે. હવે તે જીવો કેવા છે ? અને તે જીવોને કેમ મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે ? તેની અન્ય યુક્તિ આપે છે – શ્લોક : भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया । श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ।।२३।। અન્વયાર્થ : ર=અને, મવમનજિન=ભવાભિનંદી જીવોને, મવશર્મોન્સટેજીયા=ભવના સુખની ઉત્કટ ઈચ્છાથી, સકતે થાય છે=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, ર=અને, સુન્દરા: પતવાનાપા=અસુંદર એવા આના આલાપો=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિના આલાપો, તો શાસ્ત્ર પગલોકમાં અને શાસ્ત્રમાં પણ કૂત્તે સંભળાય છે. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104