________________
૨૪
પ્રિયંકરતૃપ ચરિત્ર. . મિન ! એ નિધાન તે રાજાનું જ થાય, તથાપિ તેમાંથી સ્વલ્પ આ શેઠને પણ આપવું જોઈએ.” આ પ્રમાણે સલાહ મળવાથી તે ધન લેવા રાજા જે પિતાને હાથ પસારે છે, તેવામાં તે નિધાનમાંથી અકસ્માત વાણું પ્રગટ થઈ “આ શ્રેણી વિના જે કઈ આ નિધાન લેશે તે અવશ્ય ભસ્મ થઈ જશે.” આ પ્રમાણેની વાણી સાંભળીને રાજાદિક સર્વે ભય પામીને તેનાથી દૂર થઈ ગયા, અને કહેવા લાગ્યા કે “આ નિધાન ખરેખર! કઈ વ્યંતરથી અધિષિત થયેલું લાગે છે, માટે તે આ શેઠનેજ આપી દ્યો.” આ પ્રમાણે કહીને પછી રાજાએ પાસદત્ત શેઠને પૂછયું કે-“હે શેઠ! તમે આ નિધાન જોયું, ત્યારે ત્યાં કઈ પણ માણસ હતું? અથવા તે પહેલાં કેઈએ ત્યાં કઈ માણસને જોયું કે સાંભળ્યું હતું?' શ્રેણીએ કહ્યું કે-“હે રાજન્ ! આ નિધાનની વાત હું જાણું છું તથા મારી સ્ત્રી જાણે છે, તે સિવાય બીજું કઈ જાણતું નથી.” રાજાએ કહ્યું કે-તે મારી આગળ તમે શા માટે કહ્યું?” શ્રેણીએ કહ્યું કે –
હે રાજન ! પરધન ન લેવાને માટે નિયમ છે અને ભૂમિ સંબંધી જે હોય તે બધું રાજાનું જ ગણાય; માટે તેમાંથી જે નિધાનાદિ નીકળ્યું હોય તે પણ બધું રાજાનું જ ગણાય. તેથી તે ગ્રહણ ન કરતાં તે વાત મેં આપને નિવેદન કરી. કહ્યું છે કે કેઈનું પડી ગયેલું, વિસરી ગયેલું, ખોવાઈ ગયેલું, રહી ગયેલું, કેઈએ રાખેલું અને ગોપવેલું એવું દ્રવ્ય અદત્ત ન લેવું, એટલું જ નહિ પણ વગર આપ્યું તૃણ માત્ર પણ ન લેવું. વળી હે રાજન! ગ્રહસ્થને વ્યવહારશુદ્ધિપૂર્વકજ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કહ્યું છે કે-“શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલું ધનજ શુદ્ધ છે અને તેવા શુદ્ધ દ્રવ્યથીજ ધાન્ય, દેહ, પુત્ર અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે?