Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 169
________________ · આવે છે. ધર્મો લેવાથી જ સપ્તભંગી સારી રીતે સમજી શકાય. : સમજાવવામાં આવ્યું છે. દ્રવ્ય સામાન્યમાં ત્રણ આ ધર્મો વિદ્યમાન હોવા છતાં કોઈ અપેક્ષાએ · કાળની પર્યાયોને પ્રગટ કરવાનું સામર્થ્ય લેવામાં અર્થાત્ ક્રમપૂર્વક પણ તેનું વર્ણન ન થઈ શકે એ વાત લક્ષમાં રાખીને બાકીના ત્રણ નયો સમજવા જોઈએ. આ રીતે આપણે આ વિષયનો શરૂઆતમાં અભ્યાસ કરી લીધો છે તેથી અસ્તિ અવક્તવ્ય - નાસ્તિ અવક્તવ્ય અને અસ્તિનાસ્તિ અવક્તવ્યના બોલનો વિસ્તાર અહીં નથી લેતા. નામ નથ આત્મા અરૂપી જ્ઞાયક દ્રવ્ય છે. એને ઓળખાવવા માટે પુદ્ગલનું, શબ્દનું, અવલંબન લેવામાં આવે છે. ‘આત્મા’ અથવા ‘જીવ’ એ શબ્દો છે. તે વાચકરૂપે વાચ્યને દર્શાવે છે. આત્માના અનંતગુણો પણ અરૂપી છે. તે બધાને શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. શબ્દના માધ્યમ વિના વિકલ્પનય શબ્દ દ્વારા ભેદ અને અવિકલ્પનય શબ્દ દ્વારા અભેદને સમજાવવા માગે છે. પદાર્થના : સમજાવવું અને સમજવું શક્ય નથી તેથી શબ્દની અનિવાર્યતા છે. તીર્થંક૨ પ૨માત્માની કોઈ વાત વિકલ્પનય - અવિકલ્પનય અંતરંગ બંધારણમાં દ્રવ્ય સામાન્યને અભેદ ગણવામાં આવે છે. તેમાં ગુણ ભેદ અને પર્યાય ભેદ એમ બે પ્રકારના ભેદ લેવામાં આવે છે. અસ્તિકાયરૂપ પદાર્થોમાં ક્ષેત્ર અપેક્ષાએ પણ ભેદની વાત લેવામાં આવે છે. ત્યાં ક્ષેત્રનું અખંડપણું કાયમ રાખીને અશંકલ્પનાને પણ સ્થાન છે. જો અસ્તિકાયમાં ભેદકલ્પના ન લેવામાં આવે તો પદાર્થના નાના મોટાનો ખ્યાલ ન આવે. જિનાગમ એક પ્રદેશ અખંડ દ્રવ્ય અને અનેક દેશ અખંડ પદાર્થને માન્ય કરે છે પરંતુ ખંડ ખંડ અનેક દેશ વસ્તુને માન્ય નથી કરતું. જિનાગમમાં પ્રદેશમાં અશંકલ્પનાની વાત વિશેષરૂપે લેવામાં આવતી નથી. ગુણ ભેદ અને પર્યાય ભેદ જ મુખ્ય છે. : રૂપી અને અરૂપીની જાત તદ્દન ભિન્ન જ છે. ખરેખર આત્મા રૂપી નથી પરંતુ તેના દ્વારા ઓળખાવવામાં આવે છે. જો શબ્દનો પ્રયોગ ન જ કરવામાં આવે તો અરૂપી પદાર્થોનો ખ્યાલ આપી ન શકાય. જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયોમાં નય, નિક્ષેપ અને પ્રમાણ ત્રણની વાત આવે છે. નય એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. જ્યારે નિક્ષેપને શેયના ભેદ ગણવામાં આવે છે. તે નિક્ષેપના નામસ્થાપના વગેરે ચાર ભેદ લેવામાં આવે છે. ત્યાં કોઈનું નામ ‘મહાવીર' રાખવામાં આવે ત્યારે તે નામ માત્ર મહાવીર છે. તે સાચો મહાવીર નથી. એવી અપેક્ષા લેવામાં આવે છે. અર્થાત્ મહાવીર નામ આપવાથી તેનામાં મહાવીરના ગુણો આવી જતાં નથી. અહીં તો અરૂપી આત્માને પુદ્ગલ સાથે આ પ્રકારે સંબંધ છે એટલું દર્શાવવું છે. : : ગા. ૯૩માં વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક અને આયત સામાન્ય સમુદાયાત્મક એ દ્રવ્ય છે. એની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેથી આ બે નય દ્વા૨ા વસ્તુનું એ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. શરૂઆતની બે નયો દ્રવ્ય નય અને પર્યાયનયમાં દ્રવ્ય અને ગુણના ભેદની વાત લીધી છે. અહીં દૃષ્ટાંતમાં એક પુરુષને બાળક-યુવાન અને વૃદ્ધરૂપે જોઈ શકાય છે એમ લીધું છે. ત્યાં ક્રમપૂર્વક થતી પર્યાયોના ભેદ દ્વારા પ્રવચનસાર - પીયૂષ : · ૧૬૯ કરવા માગે ત્યારે ક્યા તીર્થંકરની વાત છે એ પ્રશ્ન : સ્ટેજે થાય અને ત્યારે તેના નામનો નિર્દેશ કરવો અનિવાર્ય છે. અરિહંત પદ શું છે તે પણ શબ્દો દ્વા૨ા અને કોઈ તીર્થંક૨ વિશેષની વાત પણ શબ્દો દ્વારા કહી શકાય છે માટે આત્મા શબ્દ બ્રહ્મને સ્પર્શનારો છે એમ આ નયમાં કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216