Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 453
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦ પ્રવચનસાર પ્રવચનો ૪૪૪ છે? આહા... હા! થોડામાં બહુ-ઘણું ભર્યું છે ભાઈ ! દ્રવ્યત્વ તે ભાવ કહેવાય છે એ દ્રવ્યનો “ભાવ” કહેવાય ને..! દ્રવ્ય (જે છે) ભ ભાવવાળું ને દ્રવ્યત્વ (તે) ભાવ. (અથવા) દ્રવ્ય ભાવવાળું-ગુણવાળું અને સત્તા-દ્રવ્યત્વ તે ગુણ. તે “ભાવ” નામથી કહેવાતો ગુણ જ હોવાથી કહે છે ને દ્રવ્યનો આ “ભાવ”. તો એ ભાવ તે ગુણ જ છે. આહા.... હા! દ્રવ્યનો “અસ્તિત્વ' ભાવ. દ્રવ્યનો સત્તાભાવ. પણ ઈ દ્રવ્યનો સત્તાભાવ તે દ્રવ્ય જ છે. આહા... હા! આહા... હા... હા... હા ! આચાર્યોએ! દિગંબર સંતોએ! કામ કર્યું છે! માણસને આગ્રહ છોડીને જરી (વિચારવું જોઈએ) ખોટું લાગે કે આ બધું (ત્યારે) અમારું શું ખોટું? બાપુ! માણસને. વિચાર તો કર ભાઈ ! આહા! આવી વાતની ગંધ ક્યાં છે બીજે શાસ્ત્રમાં ય. આ કરો. આ કરો... આ કરો... આ કરો.. અહીંયાં કહે છે કે તું કરવાનું કહે છે, ( તો સાંભળ) એની સત્તાના પરિણામ એનામાં ને તારી સત્તાના પરિણામ તારામાં (થઈ જ રહ્યા છે.) શું કરવું છે તારે? આહા. હા! કેમ કે ઈ દ્રવ્ય (શું ) સત્તા વિનાનું છે? અને ઈ સત્તા ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાની છે? અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાનું એ દ્રવ્ય છે? (નથી જ.) આહા. હા! આવી વાત છે. (લોકો તો ) વાદ-વિવાદ કરે પછી, નહીં? આનાથી આમ રહ્યું- કર્મનો આકરો ઉદય આવે ત્યારે વિકાર થાય જ. નહીંતર વિકાર છે ઈ સ્વભાવ થઈ જાય. અહીંયાં કહે છે કે વિકાર થવાનો પર્યાય તે સમયે સત્તાનામના ગુણનું એ જાતનું અસ્તિત્વ પરિણામ થવાનું છે ઈ ઉત્પાદબયધ્રૌવ્યરૂપે પોતાથી થયું છે. કર્મને લઈને નહીં. આહા.... હા ! હવે આ રતનચંદજી તો ક્યાં આવે ત્યાં ઈ જ નાખે છે. આવે તે એ કર્મને લઈને થાય, કરમને લઈને થાય, કરમને લઈને થાય- જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન થાય. આહા.... હા! અહીંયાં કહે છે કે ઈ જ્ઞાનનું જે ઓછા-વત્તાપણું થાય છે ઈ જ્ઞાનમાં સત્તા નામનો ગુણ છે અથવા જ્ઞાનમાં જ્ઞાનનું યાતવાળો ગુણ છે ને....! એ હયાતીવાળી પોતે જ ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) પણે થાય છે. ધ્રૌવ્યપણું રાખીને, ઉત્પાદપણે (પોતે જ થાય છે. હીણી પર્યાય થાવ કે અધિક થાવ. એ પોતાના જ ઉત્પાદવ્યય (દ્રવ્ય) થી થાય છે, પરને લઈને નહીં'. આહા. હા.... હા! આ મોટો વાંધો હતો ને.? વર્ણાજી હારે. ઈ એણે લખ્યું છે બધા પુસ્તકો (માં). સોનગઢનું સાહિત્ય જૂઠું છે. બૂડાડી મૂકશે બધાને ! આહાહા! એણે આ વાત સાંભળી નો'તી. આહા.... હા ! (કહે છે કેઃ) કોઈ પણ સમયે, કરમનો ઉત્પાદ-વ્યય, એની સત્તાના ને સથી છે. શું કીધું? ઈ કરમ છે તેની સત્તાથી છે ને “ઉત્પાદવ્યયધ્રૌવ્ય યુક્ત સત્ તેનું દ્રવ્ય છે. એટલે ઈ સતથી સત્તા છે ને સત્તાથી પરિણમન છે ને ઈ બધું અભેદ છે. આહા.હા! એમ ભગવાન આત્મામાં, વિકારના પરિણામ છે ઈ ઉત્પાદપણે, સત્તા નામના કે અસ્તિત્વગુણને લઈને ઉત્પાદત્રયપણે પરિણમે છે તે સત્તાગુણનું પરિણમન છે. ઈ કરમને લઈને નહીં. આહા...હા! (માથે હાથ મૂકીને લોકો બોલે છે ને) અમારે શું કરવું ભાઈ, કરમનું જોર છે. કરમનું જોર છે. કરમનું જોર છે. ઈ તદ્દન બધી મિથ્યા-ભ્રમણા છે. આહાહા! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549