Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 258
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૫૭ ૪૫૮ પ્રતિક્રમણ “મારું નથી' એ કોને થાય ? પ્રશ્નકર્તા : દાદા, એમ થાય કે આ મારું નથી તો પણ ત્યાં પકડાઈ જાય. દાદાશ્રી : તેનો વાંધો નહીં. તે કોણ પકડાયા ? પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય. દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાયને પણ ! આપણે ક્યાં કરીએ છીએ ? પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ નાલાયકી ‘ચંદુભાઈમાં કેટલી ભરી છે ? - દાદાશ્રી : ના, ના, ‘ચંદુભાઈ પકડાઈ જાય. કારણ કે ‘ચંદુભાઈએ કર્યું છે એટલે પકડાઈ જાય. એટલે બળજબરી કરીને પ્રતિક્રમણ કરો કહે. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય, ‘તમે તો ના પકડાઓ ને ? - તમારે તો પાડોશી તરીકે ચંદુભાઈને એમ કહેવું, કે “આવા દોષ કરીને તમે શું છૂટા થવાના ? ‘તમારે' અમારાથી છૂટા થવાનું છે અને ‘તમારે ચોખ્ખા થવાનું છે. માટે તમે છે તે પ્રતિક્રમણ કરો.” અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું, સારા-સારાનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એનાથી છૂટું પડતું જાય પ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે, આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ? દાદાશ્રી : એ આપણે છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય. પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડુંય ખરી. દાદાશ્રી : હા, પણ જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખત જ ઘરમાં ભાંજગડ કરે છે. પહેલાં રોજ બે-ચાર વાર કરતી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી. તેને બદલે એક જ વાર કરે છે. એવું તમારેય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢવઢા કરે. ઊંધું-ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે છે. પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ જ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે, તો શું કરવું ? દાદાશ્રી : તો એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી ન કરું, માટે માફ કરજો. પ્રતિક્રમણ એ છે પૌદ્ગલિક પણ પુરુષાર્થ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણને પૌલિક કહ્યું તો તે ‘વ્યવસ્થિત'ને આધીન થયું ને ? દાદાશ્રી : ના. પ્રતિક્રમણ એ આત્મા નથી, એ પૌલિક છે. પણ એ પુરુષાર્થ છે, જાગૃતિને આધીન છે. જાગૃતિ એ જ પુરુષાર્થ છે. જાગૃતિ રહી પછી કરવું ના પડે, થયા કરે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં એવું કરું છું કે અનંતા ભવોનાં પુદ્ગલનાં પર્યાયો કર્યા હોય, અંતરાય કર્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307