Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 598
________________ ૧૭૮ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અલ્પ પરિચય વિષયાદિનો કરી, સત્ય પરિચય સાથે, દોષ ટળી, વૃદ્ધ ભક્તિ જાગ્યે જ્ઞાનદશા હુઁવ આ૨ાધે. ૨૪ અર્થ :— અનાદિથી દેહમાં આત્મબુદ્ધિરૂપ વિપરીતતા છે. તેથી દેને કેમ સુખ ઊપજે તેવું જ વિપરીત વર્તન થાય છે. પણ જ્ઞાનીપુરુષનો જીવ આશ્રય કરે, તેમનું શરણ લે તો તેમના બોઘથી આત્મા વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પણ તેને ગમવા લાગશે. તે માટે હવે પાંચ ઇન્દ્રિયના વિષયાદિનો અલ્પ પરિચય કરી સત્પુરુષના બોઘનો પરિચય વધારે તો અનુક્રમે બધા દોષો ટળી જઈ, સત્પુરુષ પ્રત્યે दृढ ભક્તિ જાગૃત થઈ, શાનદશાને પામી જીવન્મુક્ત થાય. “તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશું દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દૃઢ થાય; તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.'' (વ.પૂ.૪૫૪૬ ||૨૪|| (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ (રાગ—ઉપરનો ચાલુ-દૃષ્ટિ આઠમી સાર સમાધિ,) “ ‘દુર્લભ નરભવ!’ ‘ભક્તિ કરવી' આપ કહો છો ઉત્તમ જો, કેમ જગત-જીવ કરતા ની સૌ, ગણી સરસ ને સુગમ તો ?'' સદ્ગુરુ કરુણા આણી વાણી, કઈ દૃષ્ટાંત હવે વદતા :“રત્ન મનોહર રસ્તામાં જો, ખુલ્લું છે જ્યાં જન ફરતા. ૧ અર્થ ઃ— જિજ્ઞાસુ શ્રીગુરુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! નરભવ દુર્લભ છે! માટે ભગવાનના શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરીને તે સ્વરૂપ પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ જ કરવા યોગ્ય ઉત્તમ કાર્ય છે એમ આપ કહો છો; તો જગતના સર્વ જીવો ભક્તિને જ સરસ અને સુગમ આરાધનાની પદ્ધતિ જાણી કેમ કરતા નથી? તેના જવાબમાં સદ્ગુરુ ભગવંત કરુણા લાવી દૃષ્ટાંત સાથે આ વાતનો ખુલાસો કરે છે. એક મનોહર રત્ન, જ્યાં લોકો ફરે છે ત્યાં રસ્તામાં ખુલ્લું પડ્યું છે. ૧ મદિરા-મદથી મસ્ત બનીને ટોળું મોટું ત્યાં આવે, તડકે રત્ન ચળકતું ભાળી, ભડકે, મણિઘર મન લાવે; મસ્તી કરતા કોઈ ગયા વી, કોઈ કાચરૂપ જાણે રે! આંખો મીંચી અંધ-રમતમાં કોઈ અન્યને તાણે રે!૨

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623