Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 399
________________ ગામની અને નગરની ખાળવાળી જગ્યામાં, હાટ-દુકાને-જયાં હોય તે જગ્યાએ, દેવળ, ચારાઓ, પાણી પીવાની પરબ અને બાગબગીચાઓની જગ્યાઓમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વમાં, વનખંડમાં, મસાણમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિવમાં એટલે કે જ્યાં બેસીને શાંતિ કર્મ કરવામાં આવે છે તેવા સ્થળોમાં, પર્વતમાં કેરી કાઢેલાં લેણામાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે. તે તમામ ધનભંડારોને ચૂંભક દેવે તે તે જગ્યાએથી ખોળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે—મૂકે છે. ૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાનકુળ રૂપાથી વધવા માંડયું, સોનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંત:પુરથી, જનપદથી અને જશકીતિથી વધવા લાગ્યું તેમ જ વિપુલઅહળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપ-શિલા, પરવાળાં, શતાં રતન-માણેક એવાં ખરેખાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણે ઘણે ખુબ વધવા માંડ્યો. ૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષા મને ગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારે આ દીકરે કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી–થી વિધિયે છિયે, સેનાથી વિધિ છિયે,એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારથી, કોઠારથી, પુરથી, અંતઃપુરથી, જનપદથી તથા શકીતિથી વધિયે છિયે તથા બહાળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખે, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફને આદર સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણેને અનુસરતું, એના ગુણેથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધત) કરીશું. - ૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પિતાની ભક્તિ બતાવવા . માટે એટલે ગર્ભમાં પિતે હલેચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગે સકેડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. ૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યા કે મારે તે ગર્ભ હરાઈ ગયે છે, મારે તે ગર્ભ મરી ગયો છે. મારે તે ગર્ભ સૂઈ ગયો

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458